અમદાવાદ, કોરોના વાયરસનો નવો સ્ટ્રેન એક તરફ ચિંતાનું કારણ બન્યો છે ત્યારે બીજી તરફ લોકોને વધારે સુરક્ષિત રહેવાની સલાહ આપવામાં આવી રહી છે. આવામાં સિવિલના સુપ્રિટેન્ડન્ટ ડૉ. જેપી મોદીએ અહીં એક પણ કેસ નહીં હોવાનું જણાવ્યું છે. પરંતુ મ્યુકરમાયકોસિસના કેસ વધીને ૫૧ થઈ ગયા છે, અને ગુલિયન બારી સિન્ડ્રોમના ૧૦ કેસ થઈ ગયા છે. ગુલિયન બારી સિન્ડ્રોમના દર્દીઓ દર વર્ષે સિવિલમાં જાેવા મળે છે. આ કોઈ નવી બીમારી નથી પરંતુ તે વાયરસ અથવા બેક્ટેરિયાના ઈન્ફેક્શનથી ફેલાય છે. આવા કોઈ ઈન્ફેક્શનમાં ૧૦-૧૫ દિવસમાં બીમારીનો ફેલાવો શરીરમાં થતો જાેવા મળે છે. આ બીમારીથી ચેતાતંત્રને અથવા નસોને નુકસાન થતું હોય છે, જેના કારણે સમયસર સારવાર ના મળે તો લકવો થવાની શક્યતા રહેલી હોય છે. 

જ્યારે કોરોના વાયરસનો ચેપ લાગે ત્યારે દર્દીની રોગ પ્રતિકારક શક્તિ પર તેની અસર થતી હોય છે, જેના કારણે ગુલિયન બારી સિન્ડ્રોમ જેવા અન્ય ઈન્ફેક્શન લાગવાની સંભાવના વધી જાય છે. બીમારી દરમિયાન શરીરમાં નબળાઈ આવી જવી, ખાલી ચઢવી, હલન ચલનમાં તકલીફ પડવી વગેરે લક્ષણો સામાન્ય રીતે જાેવા મળે છે. આ બીમારી દરમિયાન ઘણાં દર્દીઓને જમવાનું અને પાણી ગળવામાં પણ તકલીફ પડે છે. આ રોગની અસર મગજ સુધી પહોંચે તો દર્દીનું મોત થઈ શકે છે. સિવિલ હોસ્પિટલમાં ગુલિયન બારી સિન્ડ્રોમના દર્દીઓની મોઘી સારવાર મફતમાં કરવામાં આવે છે.

આ રોગમાં અન્ય સારવારની પદ્ધતિમાં પ્લાઝ્‌મા ફેરેસીસ થેરાપી દ્વારા શરીરમાં ફરતા લોહીમાં બેક્ટેરિયાનું સંક્રમણ હોય તેને ૬-૭ વખત પ્યોરિફાયર કરવામાં આવે છે. આ બન્ને સારવાર દરમિયાન દર્દીની તબિયત લથડે તો તેને વેન્ટિલેટર પર રાખવી પડે છે. ખાનગી હોસ્પિટલમાં આ રોગની સારવારનો અંદાજીત ખર્ચ ૧૦-૧૫ લાખ રુપિયા થાય છે. બાળકોમાં આ રોગ જાેવા મળે છે. જે એક પ્રકારનું વાયરલ ઈન્ફેક્શન છે, જેમાં શરીરના ચેતાતંતુઓને અસર થાય છે. જેના લીધે દર્દીનું શરીર લકવાગ્રસ્ત થવાની શક્યતા વધી જાય છે, જાે આવામાં રોગની ગંભીરતા વધે તો તે મગજ સુધી જાય છે અને દર્દીનું મોત થવાની શક્યતા રહેલી છે.