ગાંધીનગર-

26મી જાન્યુઆરીની રાજ્યકક્ષાની ઉજવણીની વાત કરવામાં આવે તો દાહોદ ખાતે 26મી જાન્યુઆરીની રાજ્યકક્ષાની ઉજવણી કરવામાં આવશે. દાહોદ ખાતે રાજ્યના રાજ્યપાલ દેવવ્રત આચાર્ય, મુખ્યમંત્રી વિજય રૂપાણી અને ઉચ્ચ અધિકારીઓ દાહોદ ખાતે 26 મી જાન્યુઆરીની ઉજવણી કરશે. જ્યારે રાજ્યના નાયબ મુખ્યમંત્રી નિતિન પટેલ બરોડામાં અને મહેસૂલપ્રધાન કૌશિક પટેલ ગાંધીનગરમાં હાજર રહેશે. કોરોનાની ગાઈડલાઈન પ્રમાણે રાજ્ય સરકારના સામાન્ય વહીવટી વિભાગે પણ 26મી જાન્યુઆરીની ઉજવણી દરમિયાન કાર્યક્રમમાં હાજર રહેલા તમામ લોકોએ માસ્ક પહેરવું ફરજિયાત રાખવાનું પરિપત્રમાં જણાવ્યું છે. આ સાથે જ કાર્યક્રમમાં સોશિયલ અને સેનેટાઈઝરનો ઉપયોગ પણ ફરજિયાત રીતે કરવાની સૂચના આપવામાં આવી છે. આમ 26મી જાન્યુઆરીના કાર્યક્રમમાં કોરોના સંક્રમણને રોકવા માટે તમામ પ્રકારની ગાઈડલાઇન્સનું અનુકરણ કરવામાં આવશે. રાજ્ય સરકારના સામાન્ય વહીવટી વિભાગ દ્વારા 26મી જાન્યુઆરીની ઉજવણીને લઈને ખાસ તૈયાર કરવામાં આવી છે. જે તમામ જિલ્લા કલેક્ટરોને મોકલીને એસઓપી પ્રમાણેની કામગીરી કરવાની સૂચના આપવામાં આવી છે. આમ રાજ્યકક્ષાના કાર્યક્રમમાં 1000 લોકો જિલ્લાકક્ષાના કાર્યક્રમમાં 400 અને તાલુકા કક્ષાના કાર્યક્રમમાં ફકત 250 વ્યક્તિ જ કાર્યક્રમમાં હાજર રહી શકશે.