જોધપુર-

રાજસ્થાનના જોધપુરમાં એક દર્દનાક ઘટના સામે આવી છે. અહીં દેચુના લોધાતા અચલાવતા ગામે 11 લોકોનાં મોત નીપજ્યાં છે. ફાર્મમાંથી આ તમામ 11 લોકોની લાશ મળી આવી છે. તમામ મૃતક પાકિસ્તાન વિસ્થાપિત થયા હોવાનું જણાવાયું છે. આ બધા લોકો એક જ પરિવારના હતા અને અચલાવતા ગામે કામ કરતા હતા. આ કેસમાં હત્યા થવાની સંભાવના છે.

 મળતી માહિતી મુજબ જોધપુરના દેચુ પોલીસ સ્ટેશન વિસ્તારના લોટડા ગામે એક જ પરિવારના 11 લોકોનાં મોતની માહિતી મળતાં આ વિસ્તારમાં સનસનાટી મચી ગઈ હતી. નજીકના ગ્રામજનોએ પોલીસને ઘટનાની જાણ કરી હતી. માહિતી મળતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને 11 લોકોના મૃતદેહને બહાર કાઠ્યા હતા. તેમજ એક યુવાન ઘાયલ હાલતમાં બતાવ્યો હતો, જેને પોલીસે તેને નજીકની સરકારી હોસ્પિટલમાં દાખલ કર્યો હતો. મૃતકોમાં 2 પુરૂષો, 4 મહિલાઓ, 5 બાળકો હોવાનું સામે આવ્યું છે.