અમદાવાદ-

રાજ્યમાં છેલ્લા 24 કલાક દરમિયાન કોરોના વાયરસના નવા 1125 કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યમાં 52973 ટેસ્ટ થયા હતા. 24 કલાકમાં રાજ્યમાં 1352 દર્દી ડિસ્ચાર્જ થયા છે. જ્યારે 6 દર્દીના સારવાર દરમિયાન મોત થયા છે. આજના નવા કેસ સાથે રાજ્યના કુલ કેસનો આંકડો 183844 થયો છે. રાજ્યમાં હાલ એક્ટિવ કેસની સંખ્યા 12245 છે, જેમાંથી વેન્ટીલેટરી કેર પર 74 દર્દીઓ છે. જ્યારે 12171 દર્દીની હાલ સ્ટેબલ છે. અત્યાર સુધીમાં રાજ્યમાં સારવાર બાદ સ્વસ્થ થનાર દર્દીની કુલ સંખ્યા 167820 છે જ્યારે કુલ મૃત્યુઆંક 3779 પર પહોંચ્યો છે.