અમદાવાદ, શનિવાર સાંજ સુધીમાં સિવિલ હોસ્પિટલમાંથી વધુ ૧૨ દર્દીના મૃત્યુ નીપજ્યા છે અને આ સાથે એક જ સપ્તાહમાં કોરોનાને કારણે મૃત્યુ પામેલાઓનો આંક ૧૪૫ થયો છે. શનિવારે બપોરે પણ સિવિલના કોવિડ ડેડબોડી વિભાગ પાસેથી સવારથી જ મોટી સંખ્યામાં મૃતકોના સગાં-સંબંધી નજરે પડયા હતા. સિવિલમાં ડેડબોડી લેવા માટે કતારો લાગી રહી છે. જાેકે સંવેદના ગુમાવી ચૂકેલી ગુજરાત સરકાર જાણે ‘લોકો ભલે મરતાં હોય તો મરે’ની નીતિ અપનાવી રહ્યા હોય તેમ લાગી રહ્યું છે. 

સિવિલમાં કોરોનાને કારણે મૃત્યુ પામેલાઓની સંખ્યા વધુ હોવાને કારણે શબવાહિની ખૂટી પડે છે અને મૃતકોના સગાંઓને એમ્બ્યુલન્સમાં મૃતદેહ લઈ જવા પડે છે. સ્મશાનમાં પણ અંતિમ વિધિ માટે વેઈટિંગ હોવાથી દર્દીના સગાંઓને રાહ જાેવી પડે છે. સિવિલમાં કોરોનાને કારણે ટપોટપ મોતનો સિલસિલો યથાવત જાેવા મળે છે અને તેને રોકવા માટે નક્કર પગલાં લેવામાં સિવિલના સત્તાવાળાઓ સરિયામ નિષ્ફળનીવડયા હોય એવું માનવામાં આવે છે. ખાનગી હોસ્પિટલમાં ગંભીર પ્રકારના કેસ સિવિલમાં ટ્રાન્સફર કરી દેવાય છે, સિવિલમાં સ્ટાફ ઓછો હોવાના કારણો આગળ ધરીને સિવિલના સત્તાવાળાઓ ‘પાંગળો બચાવ’ કરી રહ્યા છે. સિવિલ હોસ્પિટલમાં કોરોનાના એક મહિલા દર્દીને કોરોનાનો રીપોર્ટ નેગેટિવ દર્શાવીને ટ્રોમા સેન્ટરમાં ખસેડાયા પછી ૧૨ દિવસ બાદ મહિલાનું મોત નીપજ્યું હતું. સિવિલ સત્તાવાળાઓની ઘોર બેદરકારીને કારણે ૭૩ વર્ષના લતાબેન બ્રહ્મભટ્ટે જીવ ગુમાવવો પડયો હોવાનો લતાબેનના સગાંઓએ આક્ષેપ કર્યો છે.

દર્દીના સગાંઓના કહેવા મુજબ, તા. ૨૫ નવેમ્બરે ૭૩ વર્ષના લતાબેન બ્રહ્મભટ્ટને શેલ્બી હોસ્પિટલમાં કોવિડ-૧૯નો રીપોર્ટ પોઝિટિવ આવ્યો હતો અને ત્યારપછા તેમને સારવાર માટે કોરોનાના દર્દીઓ માટે તૈયાર કરાયેલી ૧,૨૦૦ બેડની સિવિલ હોસ્પિટલમાં લઈ જવાયા હતા. દાખલ કરાયા પછી ફક્ત ૨૪ કલાકમાં આ મહિલાનો કોરોનાનો ટેસ્ટ કરીને તેમનો રીપોર્ટ ‘નેગેટિવ’ દર્શાવીને તેમને ટ્રોમા સેન્ટરમાં ખસેડાયા હતા.

રાજ્યમાં ૧૭ લોકોનાં મોત કુલ સંખ્યા ૧૪૦૦ને પાર

રાજ્યમાં કોરોનાની સ્થિતી દિવસેને દિવસે ગંભીર થતી જાય છે. ધીરે ધીરે હવે કોરોનાનો આંકડો ૧૪૦૦ ને પાર પહોંચ્યો હતો. જાે કે હવે ધીરે ધીરે કોરોના કાબુમાં આવી રહ્યો હોય તે પ્રકારે આંકડા ઘટી રહ્યા હતા અને એક સમયે કેસ ૧૦૦૦ની નીચે જતા રહ્યા હતા. જાે કે દિવાળી સમયે અચાનક કેસોની સંખ્યામાં ઉછાળો જાેવા મળ્યો હતો. આજે રાજ્યમાં નવા ૧૪૫૫ કોરોના દર્દી નોંધાયા હતા. રાજ્યમાં ૧૪૫૮ નવા દર્દીઓ સાજા થઇને ઘરે પરત ફરી ચુક્યા છે. અત્યાર સુધીમાં કુલ ૨,૦૦,૦૧૨ દર્દીઓ સાજા થઇ ચુક્યા છે.રાજ્યમાં દર્દીઓના સાજા થવાનો દર ૯૧.૪૨ ટકા થઇ ચુક્યો છે. રાજ્યમાં ટેસ્ટની સંખ્યામાં પણ દિન પ્રતિદિન વધારો કરવામાં આવી રહ્યો હોવાના દાવા સરકાર કરી રહી છે. આજે રાજ્યમાં કુલ ૬૯,૩૧૦ ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જે રાજ્યની વસ્તી અનુસાર પ્રતિ દિવસ ૧૦૬૬.૩૧ પ્રતિ મીલીયન થાય છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ ૮૨,૪૧,૯૬૦ ટેસ્ટ કરવામાં આવ્યા છે.રાજ્યમાં જુદા જુદા જિલ્લાઓમાં આજની તારીખે કુલ ૫,૪૨,૧૩૮ વ્યક્તિઓને ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા છે. જે પૈકી ૫,૪૧,૮૮૦ વ્યક્તિઓને હોમ ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા છે. જ્યારે ૨૫૮ વ્યક્તિઓને ફેસીલીટી ક્વોરન્ટાઇન રાખવામાં આવ્યા હોવાની માહિતી પ્રાપ્ત થઇ રહી છે. જાે એક્ટિવ દર્દીઓની વાત કરીએ તો રાજ્યમાં હાલ ૧૪,૬૯૫ એક્ટિવ કેસ છે. વેન્ટિલેટર પર ૮૭ છે. જ્યારે ૧૪,૬૦૮ લોકો સ્ટેબલ છે. ૨,૦૦,૦૧૨ લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.