વડોદરા

વેસ્ટર્ન રેલવે મઝદૂર સંઘ દ્વારા સ્વ.જે.જી.માહુરકર (દાદા) ભૂ.પૂ. મહામંત્રી વેસ્ટર્ન રેલવે મઝદૂર સંઘ અને રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ એનએફઆઈઆરની જન્મતિથિ પ્રસંગે તેઓને શ્રદ્ધાંજલિના ભાગરૂપે મહારક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે અમિત ગુપ્તા, ડિવિઝનલ રેલવે મેનેજર શરીફખાન પઠાણ, પ્રમુખ વેસ્ટર્ન રેલવે મઝદૂર સંઘ ડો. ક્રિષ્ણકુમાર એડિ. ચીફ મેડિકલ સુપ્રિ. વડોદરા અને આર.કે.ઉપાધ્યાય સિનિયર ડિવિઝનલ પર્સનલ ઓફિસર વડોદરા દ્વારા દીપ પ્રજ્વલ્લિત કરી શુભારંભ કરવામાં આવ્યું હતું. કે.પી.ગુપ્તા ઝોનલ ટ્રેઝરર, વેસ્ટર્ન રેલવે મઝદૂર સંઘ એન.કે.મહાની, મંડળ મંત્રી ડબલ્યુઆર એમ.એસ.વડોદરા, જે.એમ.કાકડે, મંડળ અધ્યક્ષ ડબ્લ્યુ આર એમએસ વડોદરા અને અન્ય ડિવિઝનલ અને બ્રાન્ચ ઓફિસ બેરર અને મેમ્બર સહિત ઉપસ્થિત રહ્યા હતા. મુંબઈ, અમદાવાદ, રાજકોટ, રતલામ અને ભાવનગર ખાતે પણ રક્તદાન શિબિર યોજાઈ હતી અને અંદાજે ૧૨૦૦ યુનિટ જેટલું રક્તદાન થયું હતું.