માંડવી

સુરત જિલ્લા ભાજપ પ્રમુખ સંદીપભાઈ દેસાઈ દ્વારા હાલની સ્થાનિક સ્વરાજની ચૂંટણી - ૨૦૨૧ માં પક્ષ દ્વારા અપાયેલ આદેશ વિરુદ્ધ જનાર, અન્ય પાર્ટી માંથી કે અપક્ષ ઉમેદવારી નોંધાવનાર તથા પક્ષ વિરુદ્ધ કામગીરી કરનાર કાર્યકરોની ગંભીર નોંધ લઈ જિલ્લાનાં ૧૨ કાર્યકરોને ૩ વર્ષ માટે પાર્ટીનાં તમામ સભ્યપદ તેમજ સોંપાયેલી જવાબદારીઓ માંથી બરતરફ (સસ્પેન્ડ) કરવામાં આવ્યા હતા જેનાં સંદર્ભે માંડવી નગર ભાજપ સંગઠન પ્રમુખ નટુભાઈ રબારી, સાંસદ પ્રભુભાઈ વસાવા, ડો. આશિષ ઉપાધ્યાય તથા માંડવી નગર ભાજપ નાં ચૂંટણી ઇન્ચાર્જ ડો. વાસુદેવ જાેખાકર સાથે પરામર્શ કરી માંડવી નગરનાં માજી ભાજપ ઉપપ્રમુખ મનીષભાઈ પીયૂષભાઈ શાહ અને માજી સુ.જી.કારોબારી સભ્ય જયશ્રીબેન રાજુભાઇ ચૌધરીને પક્ષનાં આદેશ વિરુદ્ધ જતા તાત્કાલિક ધોરણે તમામ સભ્યપદ અને જવાબદારી માંથી ૩ વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.