શ્રી નગર-

જમ્મુ કાશ્મીરના બડગામ જિલ્લાના રમેલગઢ વિસ્તારમાં સેના અને આતંકવાદીઓ વચ્ચેના એન્કાઉન્ટરમાં બે આતંકવાદીઓ માર્યા ગયા છે. આ સમાચાર મળતાં રમેલગઢમાં મોટી સંખ્યામાં ભીડ એક્ઠી થઇ હતી અને સુરક્ષા દળો પર પથ્થરમારો કર્યા હતા.

સુરક્ષાદળો પર પથ્થરમારો કરનારા સામે પેલેટ ગન અને ટીયર ગેસનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ ઘટનામાં 3 યુવક ઘાયલ થયાં હતા. જેને શ્રીનગરની હોસ્પટિલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જમ્મુ-કાશ્મીરના બડગામ જિલ્લાના રમેલગઢ વિસ્તારમાં સુરક્ષાબળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ થઈ હતી. આ અથડામણમાં સેનાએ 2 આતંકીઓને ઠાર માર્યા છે.