વડોદરા-

સમગ્ર રાજ્યમાં ચોમાંસુ જામ્યુ છે.ત્યારે મેધરાજા મન મૂકીને વરસી રહ્યા છે...એવામાં વડોદરા શહેરમાં ગઇ કાલે રાત્રે ધોધમાર વરસાદ પડ્યો હતો..અને શહેરના અનેક નિચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા હતા..લોકોને હાલાંકીનો સામનો કરવો પડ્યો હતો.વાહનો પણ પાણીમાં ડૂબ્યા હતા..એમાંથી શહેરની મધ્યમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદીમાંથી મગરો બહાર નિકળ્યા હતા..એક જ રાતમાં ૩ મગરને રેસ્ક્યું કરાયા હતા.

વન વિભાગ અને વાઈલ્ડ લાઈફ રેસ્ક્યુંટ્રસ્ટ દ્વારા એક જ રાત માં 3 મગરો પકડી પાડ્યા હતા..જેમાં 2 મગરો કારેલીબાગ જલારામ મંદિર સામે જલાધામ સોસાયટીમાંથી પકડાયા હતા.જ્યારે 1 નવલખી કુત્રિમ તળાવમાંથી મગર પકડ્યો હતો.જ્યારે પણ શહેરમાં વરસાદ પડે ત્યારે મગર બહાર નિકળતા જોવા મળે છે.