પોરબંદર-
પોરબંદરના રાણાવાવ નજીક સિમેન્ટ ફેક્ટરીમાં મોટી દુર્ઘટના સર્જાઈ હતી. ચિમનીની અંદર માંચડો તૂટી પડતાં અંદર કામ કરી રહેલા 6 શ્રમિકો 45 ફૂટ ઉંચેથી પટકાયા હતા.ગઈકાલે બપોરે આ ઘટના સર્જાઈ હતી. જેની જાણ થતાં જ NDRF સહિતની ટીમોએ સ્થળ પર પહોંચી બચાવ કામગીરી શરૂ કરી દીધી હતી. આ ઘટનામાં 3 શ્રમિકોના મોત થયા છે. ત્યારે 3 શ્રમિકોને કાટમાળમાંથી સલામત બહાર કઢાયા છે. આ મામલે રાજયના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ આ મામલે પોરબંદર કલેકટર સાથે ટેલિફોનિક વાતચીત કરી સત્વરે રાહત અન બચાવ કામગીરી માટે સૂચના આપી હતી. આ દુર્ઘટનામાં બચાવ રાહત અને સત્વરે યોગ્ય સારવાર મળે તે માટે તાત્કાલિક રાજ્ય સરકાર દ્વારા મદદ માટેની સૂચના આપી છે. મુખ્યમંત્રીએ એન.ડી.આર.એફ.ની 2 ટીમ પણ આ કામગીરીમાં મદદરૂપ થવા મોકલી આપવાની સંબંધિતોને સૂચના આપી છે.
સંબંધિત સમાચાર
મોસ્ટ પોપ્યુલર
ક્વિક લિંક
- અજબ ગજબ
- એસ્ટ્રોલોજી
- બૉલીવુડ
- બજેટ ૨૦૨૧-૨૨
- બિઝનેસ
- સિનેમા
- ક્રાઈમ વોચ
- ધર્મ જ્યોતિષ
- શિક્ષણ
- ફેશન એન્ડ બ્યુટી
- ફૂડ એન્ડ રેસિપી
- હેલ્થ એન્ડ ફિટનેસ
- હોલીવુડ
- આંતરરાષ્ટ્રીય
- જ્યોતિષ
- લાઈફ સ્ટાઇલ
- રાષ્ટ્રીય
- રાજકીય
- ધર્મ
- સ્પેશીયલ સ્ટોરી
- રમત ગમત
- ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧
- ટેક્નોલોજી
- ટેલિવુડ
- ટોક્યો ઓલિમ્પિક્સ
- ટ્રાવેલ
- વાસ્તુ
- વેબ સિરીઝ
Comments