રાજકોટ, રાજકોટ ભાજપમાં જૂથવાદ વચ્ચે સી.આર. પાટીલ સૌપ્રથમ વખત રાજકોટ આવ્યા છે. ત્યારે શહેર ભાજપના કાર્યકરો દ્વારા એરપોર્ટ પર તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. રસ્તા પર ફૂલની જાજમ પાથરવામાં આવી હતી તો ડીજેના તાલે તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ માટે સવારથી જ રાજકોટ ભાજપના આગેવાનો એરપોર્ટ પર પહોંચી ગયા હતા. પાટીલ રાજકોટ આવ્યા ત્યારે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી સુરત ગયા છે અને ભાજપના સૌથી સિનિયર નેતા વજુભાઈ વાળા બહારગામ જતાં અનેક તર્કવિતર્ક થઈ રહ્યા છે. પ્રેસ-કોન્ફરન્સમાં પાટીલે જણાવ્યું હતું કે અંબરીશ ડેરને મેં આમંત્રણ આપ્યું નથી, પાટીદાર આંદોલનના ૭૮ કેસ પાછા ખેંચાશે, સૌરાષ્ટ્ર યુનિ.માં પેધી ગયેલા

તેમણે વધુમાં જણાવ્યું હતું કે ૨૦૧૪ પછી ૧,૬૪,૦૦૦ કરોડ જેવી માતબર રકમ ખેડૂતોનાં ખાતાંમાં નાખવામાં આવી છે. અમરીશ ડેરને આમંત્રણ આપ્યું નથી. પાટીદાર આંદોલનના ઘણાબધા કેસો પાછા ખેંચી લીધા છે, બીજા ૭૮ કેસો પાછા ખેંચવાની કાર્યવાહી ચાલી રહી છે. આ દેશની અંદર લોકોએ જે ખાવું હોય એની સ્વતંત્રતા છે. લોકો નોન-વેજ પણ ખાઈ શકે છે. પ્રતિબંધિત નથી એ વસ્તુ લોકો વેચી શકે છે.

તેમણે જણાવ્યું હતું કે સૌરાષ્ટ્ર યુનિવર્સીટીમાં પેધી ગયેલા સિન્ડિકેટ સભ્યોને હટાવવામાં આવશે, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં નો-રિપીટ થિયરી અપનાવવામાં આવશે. અધ્યાપકોની ભરતીકાંડમાં જે કોઈ જવાબદાર હશે તેમની સામે કાર્યવાહી થશે. વડાપ્રધાને કૃષિના ત્રણ કાયદા પાછા ખેંચીને ખેડૂતના હિત માટે પગલું ભર્યું છે, એના માટે કામ કરીશું. દરેક અર્થનો અનર્થ કરવામાં આવ્યો નથી. મેં કોઈ અમરીશ ડેરને આમંત્રણ આપ્યું નથી. અંબરીશ ડેર પહેલાં ભાજપમાં હતા. માસ્ક અને દંડ મુદ્દે મુખ્યમંત્રી સાથે ચર્ચા કરીશું.

રાજકોટમાં જૂથવાદને લઇને વિવાદ થયો છે, એને લઇને તેમણે જણાવ્યું હતું કે મારા કાર્યક્રમમાં પણ મારા માટે સૂચના હતી કે વધુ મોટો કાર્યક્રમ ન કરવો. રાજકોટ ભાજપમાં કોઈ જૂથવાદ નથી. કમલેશ મીરાણીની આગેવાનીમાં જ ચૂંટણી લડાશે. કોઈ કોંગ્રેસના લોકોને લેવામાં આવશે નહીં. પાર્ટીના કાર્યકર્તા સમક્ષ છે. ચૂંટણી જીતવા માટે તમામ પડકારોનો સામનો કરી પાર્ટીને જિતાડવા કાર્યકરોને કામે લગાડવામાં આવશે.

રાજકોટમાં પ્રદેશ ભાજપ-પ્રમુખ સીઆર પાટીલનો ૨૦મીનો કાર્યક્રમ અગાઉથી જાહેર થઇ ગયો હતો અને પાટીલની હાજરીમાં ૨૦મીએ કાર્યકર્તા સ્નેહમિલન યોજાવાનું હતું, પરંતુ ૧૫મીએ શહેર ભાજપે સ્નેહમિલન યોજી નાખ્યું હતું અને એમાં જે રીતે સિનિયર નેતાઓ વચ્ચે બોલાચાલી થઇ એના બીજા જ દિવસે પાટીલની હાજરીમાં યોજાનારું સ્નેહમિલન રદ કરવાની જાહેરાત થઇ હતી. પત્રકાર પરિષદ બાદ સીઆર પાટીલ શહેરના યાજ્ઞીક રોડ પર આવેલી ઇમ્પીરિયલ પેલેસ હોટલ ખાતે પહોંચ્યા હતા. અહીં રાજકોટના અલગ અલગ ૪૪ જેટલા એસોસિએશનના હોદ્દેદારો અને જાણીતા ઉદ્યોગપતિઓને મળ્યા હતા. સ્નેહમિલનમાં ઉદ્યોગપતિઓ સાથે પાટીલે ચર્ચા કરી હતી. આ તમામ તણાવની વચ્ચે આજે સીઆર પાટીલ રાજકોટ આવ્યા છે, ત્યાં આગેવાનો-કાર્યકરો દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું છે. એરપોર્ટથી પાટીલ સીધા સર્કિટ હાઉસ પહોંચ્યા છે અને અહીં પત્રકાર પરિષદ યોજી પ્રદેશ પ્રમુખ ત્રણ-ચાર ખાનગી કાર્યક્રમમાં હાજરી આપશે. બપોરે ૧૨.૩૦ વાગ્યે ઇમ્પીરિયલ હોટલ ખાતે ઉદ્યોગપતિઓ સાથે મિલન યોજાશે. ૩ વાગ્યે શહેર ભાજપના આગેવાનો સાથે હેમુ ગઢવી હોલ ખાતે મિલન થશે અને એ જ સ્થળે ૪ વાગ્યે બ્રહ્મ સમાજના કાર્યક્રમમાં હાજર રહેશે.