અમદાવાદ,તા.૨૫ 

રાજ્યમાં હળવાથી ભારે વરસાદની આગાહી વચ્ચે ગત ૨૪ કલાકમાં રાજ્યના ૧૪૦ તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં ૧૩ તાલુકામાં ૨ ઇંચથી વધુ અને ૨૬ તાલુકામાં ૧ ઇંચથી ૨ ઇંચ સુધી વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ વરસાદ ગાંધીનગરના માણસા અને અમરેલીના સાવરકુંડલામાં ૪-૪ ઇંચ વરસાદ ખાબક્યો છે. જ્યારે તાપીના સોનગઢ અને મહેસાણાના કડીમાં સાડા ત્રણ ઇંચ વરસાદ નોંધાયો છે. સૌથી વધુ વરસાદ ગાંધીનગરના માણસામાં ચાર ઇંચ પડ્યો છે. તો અરવલ્લીના સાવરકુંડલામાં પણ ચાર ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે. તાપીના સોનગઢ અને મહેસાણાના કડીમાં પોણા ચાર ઇંચ કરતા વધુ વરસાદ નોંધાયો છે. મહેસાણાના બહુચરાજી તાલુકાના અજબપુરામાં ગત રાત્રે વીજળી પડી હતી. નર્મદેશ્વર મહાદેવ મંદિર ઉપર વીજળી પડી હતી. વીજળી પડવાથી મંદિરને ભારે નુકસાન થયું હતું. તેમજ ઘુમ્મટના ભાગને પણ મોટું નુકસાન પહોંચ્યું છે.

છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યના ૧૫ તાલુકામાં બે ઇંચથી વધારે વરસાદ પડ્યો છે. તો રાજ્યના ૪૦ તાલુકામાં ૧ ઈંચથી વધારે વરસાદ નોંધાયો છે. આજે સવારે રાજ્યના ૭ તાલુકામાં વરસાદ નોંધાયો છે. પોરબંદરના રાણાવાવ, જૂનાગઢનાં વંથલી અને ગીર સોમનાથના કોડીનારમાં અડધા ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. રાજુલાના હિંડોરણા ગામની ઘાતરવડી નદીમા પાણી આવતા સ્થાનિકો દ્વારા ડ્રાયવર્ઝન તોડાયું હતું. વહેલી સવારે પાણી ગામમા ઘુસે તેવી શક્યતાને લઈને ગામ લોકોએ ડ્રાયવર્ઝન તોડવાની ફરજ પડી હતી. મોડી રાતે ઘાતરવડી ડેમ ૨ નો દરવાજાે ખોલાતા ઘાતરવડી નદીમાં પૂર આવ્યું છે. મહેસાણાના કડીમાં મોડી રાત્રે અઢી ઇંચ વરસાદ વરસ્યો હતો. વરસાદના કારણે થોળ રોડ પર અંડરપાસમા પાણી ભરાયું હતું. પાણી ભરાયેલા અંડરપાસમાં ૨ આઇસાર ટ્રક ડૂબી ગઈ હતી. જાેકે, ટ્રકમાં સવાર બે ડ્રાઈવરોને બચાવી લેવાયા હતા.

રાજ્યમાં આગામી ૩ દિવસ ધોધમાર વરસાદની વકી

ગાંધીનગર :  રાજ્યમાં આગામી ત્રણ દિવસ વરસાદ મામલે હવામાન વિભાગે આગાહી આપી છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ત્રણ દિવસ હળવાથી ભારે વરસાદ પડી શકે છે. ગુજરાતમાં દક્ષિણ પશ્ચિમના પવન ફૂંકાતા આગામી ત્રણ દિવસ સુધી વરસાદની આગાહી આપવામાં આવી છે. સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, જૂનાગઢ અને દક્ષિણ ગુજરાતના વલસાડમાં ભારે વરસાદ પડવાની સંભાવના છે. માછીમારો માટે પણ અલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે. ગુજરાતમાં તોફાની પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. આગામી ૨૫થી ૨૭ જુલાઇ દરમિયાન રાજ્યના વિવિધ વિસ્તારોમાં વરસાદ પડી શકે છે. અરબી સમુદ્રમાં અનુકૂળ પરિસ્થિતિ ઊભી થતાં ગુજરાતમાં વરસાદ આવી શકે છે. હાલ રાજ્યના અમુક વિસ્તારોમાં વરસાદની ઘટ જાેવા મળી રહી છે. ૨૭ જુલાઈના જૂનાગઢ, અમરેલી, પોરબંદરમાં વરસાદ રહેશે. ૨૭ જુલાઇના દ્વારકા, વલસાડ, નવસારીમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. અમદાવાદ, ગાંધીનગર, વડોદરામાં વરસાદી ઝાપટાની શક્યતા છે.