ન્યૂ દિલ્હી
સુરક્ષા દળોએ જમ્મુ-કાશ્મીરમાં એક મોટી આતંકવાદી કાવતરું નિષ્ફળ બનાવ્યું હતું. અહીંના કુલગામ અને પુલવામામાં બુધવારે એન્કાઉન્ટર્સ થયા હતા. જેમાં ચાર આતંકવાદીઓ માર્યા ગયા હતા. આ પહેલા મંગળવારે સાંજે કુપવાડા જિલ્લાના ગેંડર્સ વિસ્તારના હિઝબુલ મુજાહિદ્દીન કમાન્ડર મેહરાજુદ્દીન હલવાઈ ઉર્ફે ઉબેદની હત્યા કરાઈ હતી. આ રીતે 24 કલાકમાં ખીણમાં કુલ 5 આતંકવાદીઓને ખતમ કરવામાં આવ્યા છે. આઈજીપી કાશ્મીર વિજય કુમારે ગુરુવારે આ માહિતી આપી.
પ્રથમ એન્કાઉન્ટર કુલગામના જોદર વિસ્તારમાં થયું. સુરક્ષા દળોના સર્ચ ઓપરેશન દરમિયાન આતંકીઓએ ફાયરિંગ શરૂ કરી દીધી હતી. જવાબી કાર્યવાહીમાં બે આતંકવાદીઓ માર્યા ગયા હતા. માર્યા ગયેલા આતંકવાદીઓ લશ્કર-એ-તૈયબા સાથે સંકળાયેલા હતા.
બીજુ એન્કાઉન્ટર પુલાવામાના પુચલ વિસ્તારમાં થયુ હતું. આતંકવાદીઓને છુપાવ્યા હોવાની બાતમી પર સુરક્ષા દળોએ આ વિસ્તારને ઘેરી લીધો હતો અને સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. આ એન્કાઉન્ટર દરમિયાન બે આતંકવાદીઓ પણ માર્યા ગયા હતા. બંનેની ઓળખ જાણવા મળી નથી. સુત્રોના જણાવ્યા અનુસાર આ વિસ્તારમાં વધુ બે આતંકીઓ છુપાયેલો હોવાની સંભાવના છે. સર્ચ ઓપરેશન હજી ચાલુ છે.
સંબંધિત સમાચાર
મોસ્ટ પોપ્યુલર
ક્વિક લિંક
- અજબ ગજબ
- એસ્ટ્રોલોજી
- બૉલીવુડ
- બજેટ ૨૦૨૧-૨૨
- બિઝનેસ
- સિનેમા
- ક્રાઈમ વોચ
- ધર્મ જ્યોતિષ
- શિક્ષણ
- ફેશન એન્ડ બ્યુટી
- ફૂડ એન્ડ રેસિપી
- હેલ્થ એન્ડ ફિટનેસ
- હોલીવુડ
- આંતરરાષ્ટ્રીય
- જ્યોતિષ
- લાઈફ સ્ટાઇલ
- રાષ્ટ્રીય
- રાજકીય
- ધર્મ
- સ્પેશીયલ સ્ટોરી
- રમત ગમત
- ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧
- ટેક્નોલોજી
- ટેલિવુડ
- ટોક્યો ઓલિમ્પિક્સ
- ટ્રાવેલ
- વાસ્તુ
- વેબ સિરીઝ
Comments