અમદાવાદ, સામાન્ય રીતે કોરોનાનું જાેખમ સિનિયર સિટીઝનને વધુ હોય છે, ત્યારે ખુશીની વાત છે કે “જીવન સંધ્યા વૃદ્ધાશ્રમમાં ૫૨ જેટલાં વૃદ્ધો કોરોનાને માત આપી વૃદ્ધાશ્રમમાં જ પોતાનું જીવન શરૂ કર્યું છે. હાલ વૃદ્ધાશ્રમમાં એક પણ કોરોના પોઝિટિવ કેસ નથી. જીવનસંધ્યા વૃદ્ધાશ્રમના ૫૨ વૃદ્ધ થઈ કોરોનાને માત આપી વૃદ્ધાશ્રમમાં પરત ફર્યા છે. ઓક્ટોબર મહિનામાં વૃદ્ધાશ્રમમાં કોરોનાના કેસ આવવાના શરૂ થયા હતા. જે બાદ વૃદ્ધાશ્રમના ટ્રસ્ટી સુકેતુભાઈ નાગર વાડિયાએ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને જાણ કરી વૃદ્ધાશ્રમના દરેક વૃદ્ધનો કોરોના ટેસ્ટ વૃદ્ધાશ્રમમાં જ કરવા માટેની માંગણી કરી હતી. આખરે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વૃદ્ધાશ્રમમાં જ કોરોનાનો કેમ્પ કરવામાં આવ્યો હતો. જેમાં ૫૨ વૃદ્ધો તેમજ ૩ રસોઈયાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. સંસ્થાના ટ્રસ્ટી દ્વારા એએમસીને વિનંતી કરવામાં આવી હતી કે, અમારા આશ્રમના તમામ વૃદ્ધોને પ્રાઇવેટ હોસ્પિટલમાં જ રાખવામાં આવે. એએમસીએ તેમની માંગણી સ્વીકારીને દરેક વૃદ્ધોને અલગ-અલગ પ્રાઇવેટ હોસ્પિટલમાં એડમીટ કરવામાં આવ્યા હતા. જેમાં વૃદ્ધોની તબિયત સુધરતી ગઈ વૃદ્ધોને વૃદ્ધાશ્રમમાં પરત મોકલવામાં આવી રહ્યા હતા. વૃદ્ધ હોસ્પિટલમાંથી વૃદ્ધાશ્રમમાં આવે તરત જ તેમને વૃદ્ધાશ્રમમાં આવેલ ફિઝિયોથેરાપી સેન્ટરમાં આઈસોલેશનમાં રાખવામાં આવતા હતા. જે બાદ જ તેમને વૃદ્ધાશ્રમમાં લાવવામાં આવ્યા હતા.