દિલ્હી-

દેશમાં કોરોના વાયરસના કેસો ઝડપથી વધી રહ્યાં છે, છેલ્લા કેટલાક દિવસોમાં દરરોજ આશરે 30 હજાર કોવિડ-19 સંક્રમિતો સામે આવી રહ્યાં હતા, હવે આ આંક઼ડો 50 હજારની નજીક પહોંચી ગયો છે. શનિવારે સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા અનુસાર છેલ્લા 24 કલાકમાં સર્વાધિક 48,916 નવા કેસ સામે આવ્યા છે. આશરે 49 હજાર કેસ આવ્યા બાદ દેશમાં સંક્રમિતોની સંખ્યા 13,36,861 પર પહોંચી ગઈ છે. છેલ્લા 24 કલાકમાં 757 લોકોના મૃત્યુ થયા છે, ત્યારબાદ મૃતકોની સંખ્યા 31358 થઈ ગઈ છે.

પરંતુ આ વાયરસથી સાજા થનારાની સંખ્યા સતત વધી રહી છે. સ્વાસ્થ્ય મંત્રાલય અનુસાર અત્યાર સુધી 849432 લોકો આ વાયરસને માત આપીને સાજા થયા છે. પોઝિટિવિટી રેટ વધીને 11.62 ટકા પહોંચી ગયો છે તો રિકવરી રેટમાં સામાન્ય સુધારો જોવા મળ્યો છે, તે વધીને 63.53 ટકા થઈ ગયો છે