દિલ્હી-
આગામી બજેટમાં, સરકાર સ્માર્ટફોન, ઇલેક્ટ્રોનિક ઉપકરણો અને અન્ય સામગ્રી સહિત 50 થી વધુ વસ્તુઓ પર આયાત ડ્યુટીમાં 5-10 ટકાનો વધારો કરી શકે છે. ત્રણ સરકારી સ્ત્રોતોએ આની પુષ્ટિ કરી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની 'આત્મનિર્ભર ભારત' યોજનાનો એક ભાગ આયાત ડ્યુટી વધારવી છે. આયાત ડ્યુટીમાં વધારો કરવાથી દેશમાં ઉત્પાદનને વેગ મળશે.
સૂત્રોના જણાવ્યા મુજબ, સરકારનો પ્રયાસ બિન-આવશ્યક ઉત્પાદનોની આયાત પર પ્રતિબંધ મૂકવાનો છે, જેથી તે ઉત્પાદનો ભારતમાં ફક્ત મેક ઇન ઇન્ડિયા હેઠળ ઉત્પાદિત થઈ શકે. કોરોના વાયરસને કારણે સરકારની આવકમાં ઘટાડો થયો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર સરકાર આયાત ડ્યુટીમાં 20 થી 21 હજાર કરોડનો વધારો કરી શકે છે.
સરકારી સુત્રોના જણાવ્યા અનુસાર ડ્યુટીમાં વધારાથી ફર્નિચર અને ઇલેક્ટ્રિક વાહનોના ભાવને અસર થઈ શકે છે. સરકારના આ પગલાની અસર ટેસ્લા અને સ્વીડનની ફર્નિચર કંપની આઈકેઇએ પર પણ પડી શકે છે, કેમ કે ટેસ્લા આ વર્ષે ભારતમાં પોતાની કાર લોન્ચ કરવાની યોજના ધરાવે છે. જોકે, અધિકારીઓએ કહ્યું નથી કે ફર્નિચર અને ઇલેક્ટ્રિક વાહનો પરની આયાત ડ્યૂટી કેટલી વધારશે. આઈકેઇએ અને ટેસ્લા અધિકારીઓ ભારતમાં તેમના ઉત્પાદનો પરની ડ્યુટી અંગે ચિંતા કરી ચૂક્યા છે.
સંબંધિત સમાચાર
મોસ્ટ પોપ્યુલર
ક્વિક લિંક
- અજબ ગજબ
- એસ્ટ્રોલોજી
- બૉલીવુડ
- બજેટ ૨૦૨૧-૨૨
- બિઝનેસ
- સિનેમા
- ક્રાઈમ વોચ
- ધર્મ જ્યોતિષ
- શિક્ષણ
- ફેશન એન્ડ બ્યુટી
- ફૂડ એન્ડ રેસિપી
- હેલ્થ એન્ડ ફિટનેસ
- હોલીવુડ
- આંતરરાષ્ટ્રીય
- જ્યોતિષ
- લાઈફ સ્ટાઇલ
- રાષ્ટ્રીય
- રાજકીય
- ધર્મ
- સ્પેશીયલ સ્ટોરી
- રમત ગમત
- ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧
- ટેક્નોલોજી
- ટેલિવુડ
- ટોક્યો ઓલિમ્પિક્સ
- ટ્રાવેલ
- વાસ્તુ
- વેબ સિરીઝ
Comments