આણંદ, તા.૨૪ 

આણંદ જિલ્લામાં આજે વધુ ૮ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા હોવાનું જાણવા મળ્યું છે. કોરોના પોઝિટિવ કેસનો આંકડો રોજ વધી રહ્યો છે. આણંદ જિલ્લામાં આજે નોંધાયેલાં કેસમાં ખંભાત અને બોરસદમાં બબ્બે કેસ, ગામડી, સોજિત્રા, અજરપુરા અને પેટલાદમાં એક-એક પોઝિટિવ કેસ નોંધાયો હતો. આજે નોંધાયેલાં કેસમાં આણંદ તાલુકાના અજરપુરા ગામે રહેતાં ૫૩ વર્ષનાં મહિલા, ગામડી ગામની રામજી મંદિરવાળી ખડકીમાં રહેતાં ૫૩ વર્ષનાં મહિલા, ખંભાત બોરપીપડો વિસ્તારમાં રહેતાં ૭૨ વર્ષના મહિલા, સોજિત્રાના રાણા ચોકમાં ૫૯ વર્ષનાં મહિલા, પેટલાદની સચીન સોસાયટીમાં રહેતાં ૫૫ વર્ષનાં મહિલા, ખંભાતના દેવની પોળમાં રહેતાં ૫૮ વર્ષનાં મહિલા, બોરસદના બ્રાહ્મણવાડામાં રહેતાં ૭૭ વૃદ્ધ અને ૨૧ વર્ષના યુવાન સામેલ છે.  

આજે નોંધાયેલાં દર્દીઓ પૈકી એક વેન્ટિલેટર પર, ૬ ઓક્સિજન પર તેમજ બાકીના દર્દીની હાલત સ્થિર છે. આ દર્દીઓને કરમસદની શ્રીકૃષ્ણ હોસ્પિટલ, વડોદરાની એસએસજી હોસ્પિટલ અને આણંદની જનરલ હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે.