૫૧૦૦૦ રુદ્રાક્ષથી આદિ જ્યોતિર્લિંગ દેવાધિદેવને રુદ્રાક્ષનો શૃંગાર કહેવાય છે કે ભગવાન શિવને રુદ્રાક્ષ અતિ પ્રિય છે, રૂદ્રાક્ષની ઉત્પત્તિ ની વાર્તા પણ ખુબ રોચક છે, એક સમયે ભગવાન શિવે હજાર વર્ષ સુધી સમાધિ લીધી હતી. સમાધિમાંથી જાગીને જ્યારે તેમનું મન બહારની દુનિયામાં આવ્યું, ત્યારે જગતના કલ્યાણ ની ઈચ્છા ધરાવતા મહાદેવ આંખો બંધ કરી દીધી. ત્યારે તેની આંખમાંથી પાણી નું ટીપુ પૃથ્વી પર પડ્યું. તેમાંથી રુદ્રાક્ષના વૃક્ષ નો જન્મ થયો અને તે શિવની ઈચ્છાથી ભક્તોના લાભાર્થે આખા દેશમાં ફેલાઈ ગયા. તે વૃક્ષો પર જે ફળ આવે છે તે રુદ્રાક્ષ છે.જે પાપોનો નાશ કરનાર, પુણ્ય કરનાર, રોગનો નાશ કરનાર, સિદ્ધિકાર અને મોક્ષનો ઉપભોગ કરનાર છે. રુદ્રાક્ષ ફળદાયી છે, જે અષ્ટિને દૂર કરીને શાંતિ આપનાર છે. આજે ૫૧૦૦૦ થી વધુ રુદ્રાક્ષ થી આદિ જ્યોતિર્લિંગ ભગવાન સોમનાથજીને વિશેષ શૃંગારીત કરવામાં આવેલ હતા.