દિલ્હી-
દેશમાં કોરોના વાઇરસના સંક્રમણના કેસોમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. આરોગ્ય મંત્રાલયે જારી કરેલા આંકડા મુજબ પાછલા 24 કલાકમાં 52,123 નવા કેસ સામે આવ્યા છે અને 775 લોકોનાં મોત થયાં છે. દેશમાં ગઈ કાલે સૌપ્રથમ વાર કોવિડ-19ના સંક્રમણના 50,000 નવા કેસ નોંધાયા છે. દેશમાં આ વાઇરસથી અત્યાર સુધી કુલ 15,83,792 લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે અને અત્યાર સુધી 34,968 લોકોનાં મોત થયાં છે. જોકે આ ખતરનાક બીમારીને 10,02,582 લોકો માત આપી ચૂક્યા છે. જ્યારે હાલ આ વાઇરસના સંક્રમિત સક્રિય લોકોની સંખ્યા 5,28,242એ પહોંચી છે. રિકવરી રેટ 64.25 ટકાએ પહોંચ્યો છે. દેશમાં 1,81,90,382 ટેસ્ટ 29 જુલાઈ સુધીમાં કોવિડ-19ના કુલ 1,81,90,242 સ્મ્પલોના ટેસ્ટિંગ થઈ ચૂક્યાં છે, એમ ICMRએ કહ્યું હતું.
વિશ્વમાં કોરોના પાછલા 24 કલાકમાં 2.80 લાખ કેસ વિશ્વમાં અત્યાર સુધી 213 દેશોમાં કોરોના સંક્રમણ ફેલાયું છે. અમેરિકા, બ્રાઝિલ અને ભારત જેવા દેશોમાં કોરોનાની સંખ્યા ઝડપથી વધી રહી છે. વિશ્વમાં પાછલા 24 કલાકમાં 2.80 લાખ નવા કેસ નોંધાયા છે અને 6649 લોકોનાં મોત થયાં છે. વિશ્વમાં અત્યાર સુધી 1.71 કરોડ લોકોના સંક્રમણના કેસ નોંધાયા છે અને 6.69 લાખ લોકોનાં મોત થયાં છે.
સંબંધિત સમાચાર
મોસ્ટ પોપ્યુલર
ક્વિક લિંક
- અજબ ગજબ
- એસ્ટ્રોલોજી
- બૉલીવુડ
- બજેટ ૨૦૨૧-૨૨
- બિઝનેસ
- સિનેમા
- ક્રાઈમ વોચ
- ધર્મ જ્યોતિષ
- શિક્ષણ
- ફેશન એન્ડ બ્યુટી
- ફૂડ એન્ડ રેસિપી
- હેલ્થ એન્ડ ફિટનેસ
- હોલીવુડ
- આંતરરાષ્ટ્રીય
- જ્યોતિષ
- લાઈફ સ્ટાઇલ
- રાષ્ટ્રીય
- રાજકીય
- ધર્મ
- સ્પેશીયલ સ્ટોરી
- રમત ગમત
- ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧
- ટેક્નોલોજી
- ટેલિવુડ
- ટોક્યો ઓલિમ્પિક્સ
- ટ્રાવેલ
- વાસ્તુ
- વેબ સિરીઝ
Comments