અમદાવાદ-
કોરોના મહામારી દરમિયાન તમામ કંપનીઓએ પોતાના મૂડીગત ખર્ચને સ્થગિત કર્યો નથી. એસ&પી બીએસઈ 100 કંપનીઓએ માર્ચ પછીના 6 મહિનામાંમાં 55,890 કરોડ રૂપિયાની એસેટ ઉમેરી છે. ડેલોઈટ ઇન્ડિયાના પાર્ટનર મધુસુદન કનકાનીએ જણાવ્યું હતું કે મહામારી અગાઉના 6 માસની સ્થિતિ જોતા અમને લાગી રહ્યું હતું કે મહત્તમ મોટી કંપનીઓએ રોકડ બચાવવા માટે મૂડીગત ખર્ચને કદાચ ટાળી દીધો હશે. જોકે વાસ્તવમાં ઘણી કંપનીઓએ પોતાના મૂડીગત ખર્ચ યોજના યથાવત રાખી હતી.
પ્રોપર્ટી,પ્લાન્ટ અને ઉપકરણ ઉપરાંત આ વિશ્લેષણમાં સામેલ એસેટમાં વર્ક ઈન પ્રોગ્રેસ, ડેવલપિંગ ઇન્વેસ્ટમેન્ટ પ્રોપર્ટી,એક્સ્પ્લોરેશન અને ઇવેલ્યુશન એસેટ, રાઈટ ટુ યુઝ ઓફ એસેટ્સ અને અન્ય અમૂર્ત એસેટ સામેલ છે. આ સમયગાળા દરમિયાન કુલ અસ્ક્યામતો વધીને 1.8 લાખ કરોડની થઇ હતી.અમુક વધારપ અધિગ્રહણને પ્રતિબિંબિત કરી શકે છે પરંતુ આ મામલે ક્ષેત્રીય સ્તર પર અલગ અલગ આંકડા જોવા મળશે.
અસંગઠિત ક્ષેત્રને આંચકો લાગ્યો છે. તેલ અને ગેસ, ધાતુઓ અને ખાણકામ જેવા મજબૂત ક્ષેત્રમાં રૂ. 10,000-10,000 કરોડથી વધુનો વધારો જોવા મળ્યો છે. અન્ય ક્ષેત્રો જેમ કે રીઅલ એસ્ટેટ, બંદરો અને વીજ કંપનીમાં નોંધપાત્ર અવરોધોનો સામનો કરવો પડ્યો છે અને ચોખ્ખા ધોરણે નોંધપાત્ર વૃદ્ધિ નોંધાવી શક્યા નથી.વીજ કંપનીઓના રિસીવેવલ્સમાં 49 ટકાનો વધારો થયો છે.
સંબંધિત સમાચાર
મોસ્ટ પોપ્યુલર
ક્વિક લિંક
- અજબ ગજબ
- એસ્ટ્રોલોજી
- બૉલીવુડ
- બજેટ ૨૦૨૧-૨૨
- બિઝનેસ
- સિનેમા
- ક્રાઈમ વોચ
- ધર્મ જ્યોતિષ
- શિક્ષણ
- ફેશન એન્ડ બ્યુટી
- ફૂડ એન્ડ રેસિપી
- હેલ્થ એન્ડ ફિટનેસ
- હોલીવુડ
- આંતરરાષ્ટ્રીય
- જ્યોતિષ
- લાઈફ સ્ટાઇલ
- રાષ્ટ્રીય
- રાજકીય
- ધર્મ
- સ્પેશીયલ સ્ટોરી
- રમત ગમત
- ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧
- ટેક્નોલોજી
- ટેલિવુડ
- ટોક્યો ઓલિમ્પિક્સ
- ટ્રાવેલ
- વાસ્તુ
- વેબ સિરીઝ
Comments