ગાંધીનગર-

ગુજરાતમાં કોરોના સંક્રમણ તળિયે પહોંચી ગયું છે. દિનપ્રતિદિન નોંધાતા નવા કેસોમાં મોટો ઘટાડો નોંધાયો છે. જ્યારે 700થી વધુ દર્દીઓ સાજા થયા છે. રિકવરી રેટ 95.51 ટકા નોંધાયો છે. રાહતની વાત એ છે કે, એક્ટિવ કેસની સંખ્યા ઉત્તરોતર ઘટી રહી છે. હાલ રાજ્યમાં 7,056 સક્રિય કેસો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં પોઝીટીવ નવા 570 કેસ નોંધાયા છે. અને 3 દર્દીના મૃત્યુ થયા છે, જ્યારે 737 દર્દીઓ સાજા થયા છે. એ સાથે અત્યાર સુધીમાં 254314 લોકોએ કોરોનાને મ્હાત આપી. રાજ્યમાં કુલ 54 દર્દીઓ વેન્ટીલેટર પર છે જ્યારે 7002 દર્દીઓ સ્ટેબલ છે. રાજ્યનો કુલ મૃત્યુઆંક 4357 તથા કુલ પોઝીટીવ કેસનો આંક 254314 પર પહોંચ્યો છે. જિલ્લામાં મુજબ નોંધાયેલા કેસો 

અમદાવાદ 112, વડોદરા 104, સુરત 98, રાજકોટ 85, ભરૂચ 18, ગાંધીનગર 15, મહેસાણા 14, જૂનાગઢ 13, દાહોદ 12, કચ્છ 11, આણંદ 10, ગીર સોમનાથ 9, મોરબી-ભાવનગર-જામનગર 8, સાબરકાંઠા 7, પંચમહાલ 6, ખેડા 5, નર્મદા-સુરેન્દ્રનગર-વલસાડ 4, અમરેલી-પાટણ 3, અરવલ્લી-બનાસકાંઠા-દેવભૂમિ દ્વારકા 2, બોટાદ-છોટા ઉદેપુર 1. કેસો નોંધાયા છે.