અમરેલી,તા.૨૧ 

 અમરેલી - બગસરા રોડ પર બાબુપુર ગામના પાટીયા નજીક ગમ્ખવાર અકસ્માત સર્જાયો હતો. જેમાં કાર અને ટ્રક વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં એક જ પરિવારનાં ૪ વ્યક્તિઓનાં ઘટના સ્થળે જ મોત નિપજ્યાં છે. મૃતકોમાં સાસુ વહુ અને બે બાળકોનો સમાવેશ થાય છે. મૃતક બંન્ને બાળકો ભાઇ બહેન હતા. જ્યારે ૩ વ્યક્તિને ઇજા પહોંચતા ૨ને ગંભીર ઇજા સાથે રાજકોટ હોસ્પિટલ સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. જ્યારે એક વ્યક્તિને અમરેલી હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. મૃતક તમામ ગાવડકા ગામમાં રહેતા અને એક જ ગાડીમાં ૭ લોકો બેઠા હતા. ગમખ્વાર અકસ્માતના પગલે લોકોના ટોળા એકત્ર થઇ ગયા હતા. કારમાં ફસાયેલા લોકોને બહાર કાઢવામાં આવ્યા હતા. તમામને સારવાર માટે ૧૦૮ દ્વારા નજીકની હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ૧૦૮ના ઇએમટી એ જણાવ્યું કે, અમરેલી-બગસરા રોડ પર ઘટના બની હતી.