દિલ્લી,

24રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશો દ્વારા સુપ્રીમ કોર્ટની માર્ગ સુરક્ષા કમિટીને સોંપેલા રિપોર્ટ પ્રમાણે 24 માર્ચથી 31 મે દરમિયાન રોડ અકસ્માતમાં 62% ઘટાડો નોંધાયો છે. આ દરમિયાન રાજ્યો દ્વારા સોંપાયેલા આંકડાને 2019 સાથે સરખાવવામાં આવે તો 8976 મૃત્યુ, 25,000 જેટલા સામાન્ય અકસ્માતો અને 26,000 લોકો રોડ અકસ્માતમાં ઘાયલ થવાથી બચી ગયા.

રજૂ કરાયેલા આંકડા પ્રમાણે સૌથી વધુ રોડ અકસ્માતમાં 1,632 મોત થાય છે, જે પછી ઉતરતા ક્રમમાં રાજસ્થાન (1171), ગુજરાત (900), બિહાર (898) અને તેલંગાણા (604)નો નંબર આવે છે. ચંદીગઢ અને દમણ અને દીવમાં રોડ અકસ્માત નથી નોંધાયા.

અકસ્માતમાં મૃત્યુ થવાની ટકાવારીમાં 90% સાથે ઉત્તરાખંડ સૌથી ટોચ પર છે, જે પછી 88.7% સાથે કેરળનો નંબર આવે છે.

ચાર મહત્વના રાજ્યો ઉત્તરપ્રદેશ, તામિલનાડુ, કર્ણાટકા અને મધ્યપ્રદેશે પોતાના આંકડા રજૂ કર્યા નથી. દિલ્હીએ પણ પોતાની વિગતો રજૂ નથી કરી. રોડ અકસ્માતના ડેટાનું એનાલિસિસ કરતા માલુમ પડે છે કે,100અકસ્માતમાં 1વ્યક્તિનો જીવ ગયો છે જ્યારે પાછલા વર્ષે 100 અકસ્માતમાં 39ના મોત નોંધાયા હતા.

કોરોના વાયરસના કારણે વિવિધ દેશોમાં જાહેર કરાયેલા લોકડાઉનના કારણે આખી દુનિયામાં અકસ્માત અને તેના કારણે થનારા મોતમાં ઘટાડો નોંધાયો છે.