ઉત્તર પ્રદેશ

ઉત્તર પ્રદેશનાં અલીગઢથી ઝેરી દારૂ પીવાથી 7 લોકોનાં મોત નીપજ્યાં છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે મૃત્યુ પામેલા લોકોમાં અલીગઢ એચપી ગેસ પ્લાન્ટનો ટ્રક ચાલક પણ હતો. આ ઉપરાંત લોધા ક્ષેત્રનાં કરસુઆ, નિમાના, હૈવતપુર, અંડલા ગામનાં ગામ લોકો પણ મૃત્યુ પામ્યા છે. ઘણા લોકોની હાલત નાજુક છે. સ્થાનિક હોસ્પિટલમાં તેઓની સારવાર ચાલી રહી છે.

આ મામલાની તપાસ કરવામાં આવી રહી છે, તપાસમાં જે બહાર આવશે તેના આધારે કાર્યવાહી કરવામાં આવશે.સ્થાનિક લોકોએ જણાવ્યું છે કે મૃતકો ગામમાંથી જ દારૂ પીધો હતો અને દારૂ ખરીદ્યો હતો. મૃત્યુ પામેલા લોકોમાંથી બે કરસુઆ સ્થિત એચપી ગેસ બોટલિંગ પ્લાન્ટનાં ડ્રાઇવર છે. અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા છે અને મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવાયા છે.ગ્રામજનોની ફરિયાદને પગલે વહીવટી અને પોલીસ અધિકારીઓએ દેશી દારૂનો કરાર સીલ કરી દીધો છે.