વડોદરા, તા.૧૨

આઝાદીના અમૃત પર્વની ઉજવણી અને દાંડી યાત્રા સ્મૃતિ દિવસની ડેસર તાલુકામાં સ્વતંત્રતા સંદેશ બાઈક રેલી અને અમૃત પર્વ સભા દ્વારા ઉજવણી કરવામાં આવી હતી. જિલ્લા કલેકટર શ્રીમતી શાલિની અગ્રવાલના માર્ગદર્શન હેઠળ જિલ્લા પ્રશાસને યોજેલા આ કાર્યક્રમમાં સાંસદ રંજનબેન ભટ્ટ અને ધારાસભ્ય કેતન ઇનામદારે પ્રધામંત્રી નરેન્દ્ર મોદીની પ્રેરણાથી યોજવામાં આવેલા કાર્યક્રમોની વિગતવાર જાણકારી આપી લોકોને તેમાં જાેડાવા હાકલ કરી હતી. આજ પ્રકારનો વધુ એક કાર્યકીરમ કાર્યક્રમ કરજણ તાલુકાના મિયાગામ ખાતે સાંસદ શ્રીમતી ગીતાબેન રાઠવા અને ધારાસભ્ય અક્ષય પટેલ,જિલ્લા વિકાસ અધિકારી કિરણ ઝવેરીની ઉપસ્થિતિમાં યોજાયો હતો. પ્રતાપપુરાના કાર્યક્રમમાં વક્તા ભાવના મહેતાએ આત્મ ર્નિભર ભારત અંગે અને મિયાગામમાં વિષય નિષ્ણાત પ્રાધ્યાપકે જળ સંરક્ષણની અગત્યતા સમજાવી હતી.આ બંને કાર્યક્રમોમાં સ્વતંત્રતા માટેના આઝાદીના લડવૈયાઓને નત મસ્તકે સલામી આપવામાં આવી હતી. બંને કાર્યક્રમોના ભાગરૂપે સ્વતંત્રતા સંદેશ બાઈક રેલી યોજવામાં આવી હતી અને સાંસ્કૃતિક કાર્યક્રમો દ્વારા આઝાદીની અમુલ્યતાની જાણકારી આપવામાં આવી હતી. આ પ્રસંગે કાર્યક્રમના સ્થળ પર મહાનુભાવો એ વૃક્ષારોપણ કર્યું હતું.