ભાવનગર-
વેરા શાખના કૌભાંડમાં સંડોવાયેલા મનાતા અત્રેના વંદન કોર્પોરેશનના ત્રણ જણાંની ધરપકડ કરવામાં આવી છે અને તેમને વેરાશાખના દાસ્તાવેજોનો દુરુપયોગ કરવા બદલ 14 દિવસની જ્યુડિશ્યલ કસ્ટડીમાં મોકલી અપાયા છે.
જીએસટી વિભાગ દ્વારા અહીંના વંદન કોર્પોરેશનમાં છેલ્લા કેટલાંક દિવસથી ચેકીંગ ચાલી રહ્યું હતું અને તેમાં બોગસ બિલિંગ સાથે સંકળાયેલા વેરાશાખના દાસ્તાવેજો પણ હોવાના પૂરાવા મળ્યા હતા જેને પગલે જીએસટી ખાતાના અધિકારીઓ દ્વારા અહીં ત્રણ જણાંની અટકાયત કરાઈ હતી. તપાસ માટે કંપનીના દાસ્તાવેજો ઉપરાંત કમ્પ્યુટર્સની પણ તપાસ કરવામાં આવી હતી. ભાવનગર, છોટા ઉદેપુર, દાહોદ, મોરબી અને ઈન્દોર જેવા સ્થળોએ પેઢીઓના રજીસ્ટ્રેશન કરાવીને અંદર અંદર બિલિંગ કરાવીને બોગસ વેરાશાખ ઊભી કરીને લાભ લીધો હોવાનું બહાર આવતાં કંપની પર કાર્યવાહી કરવામાં આવી હતી.
સંબંધિત સમાચાર
મોસ્ટ પોપ્યુલર
ક્વિક લિંક
- અજબ ગજબ
- એસ્ટ્રોલોજી
- બૉલીવુડ
- બજેટ ૨૦૨૧-૨૨
- બિઝનેસ
- સિનેમા
- ક્રાઈમ વોચ
- ધર્મ જ્યોતિષ
- શિક્ષણ
- ફેશન એન્ડ બ્યુટી
- ફૂડ એન્ડ રેસિપી
- હેલ્થ એન્ડ ફિટનેસ
- હોલીવુડ
- આંતરરાષ્ટ્રીય
- જ્યોતિષ
- લાઈફ સ્ટાઇલ
- રાષ્ટ્રીય
- રાજકીય
- ધર્મ
- સ્પેશીયલ સ્ટોરી
- રમત ગમત
- ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧
- ટેક્નોલોજી
- ટેલિવુડ
- ટોક્યો ઓલિમ્પિક્સ
- ટ્રાવેલ
- વાસ્તુ
- વેબ સિરીઝ
Comments