વલસાડ,  વલસાડના કલવાડા ગામે સપ્તાહના અંતે પાટીદાર સમાજ દ્વારા ૩ વર્ષની બાળકીના લાભાર્થે પાટીદાર પ્રિમિયર લીગ ક્રિકેટ ટુર્નામેન્ટનું આ યોજન કરાયું હતુ . આ ટુર્નામેન્ટ થકી સમાજ દ્વારા રુ . ૧૯.૩૦ લાખ જેટલી માતબર રકમ એકત્ર કરાઇ હતી અને તેને બાળકીના પરિવારને સુપ્રત કરાઇ હતી . આ એક ટુર્નામેન્ટથી નાનકડી બાળકીનું ભવિષ્ય ઉજ્વળ થઇ ગયું છે . વલસાડના નાના ઠક્કરવાડા ગામે રહેતો પાટીદાર યુવાન રોનક શિરીષભાઈ પટેલનું અકસ્માતમાં મોત નિપજ્યું હતું . જેની ૩ વર્ષની પુત્રી પરથી પિતાનો સાયો ઉઠી જતાં તેના પર આભ તૂટી પડ્યું હતું . નબળી આર્થિક પરિસ્થિતિ ધરાવતા આ પરિવારના ઉત્થાન માટે કલવાડાના યુવાનો આગળ આવ્યા હતા જેમાં ખાસ કરીને મૂળ કલવાડા ગામના એનઆરઆઇ એવા જયેશભાઇ અમરતભાઇ પટેલ અમેરિકાથી ખાસ વલસાડ આવ્યા હતા . તેમણે ક્લવાડા ગામે ડી ઝેડ પટેલ ક્રિકેટ ગ્રાઉન્ડ પર સમાજના યુવાનો માટે ત્રિદિવસીય ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજ ન કર્યું હતું. આ ક્રિકેટ ટુર્નામેન્ટનો તમામ ખર્ચ તેમણે જાતે કર્યો હતો. જ્યારે ક્રિકેટ ટુર્નામેન્ટની તમામ આવક રોનકના પરિવારને અર્પણ કરવાનું નક્કી કરાયું હતુ . ત્યારે આ ટુર્નામેન્ટમાં સમાજના લોકોએ ઉદાર હાથે ફાળો આપ્યો અને રુ.૧૯.૩૦ લાખની માતબર રકમ એકત્ર કરી હતી. આ રકમ મૃતક રોનકની ૩ વર્ષિય પુત્રીના નામે બેંકમાં મુકી સંનિષ્ઠ પ્રયાસ હાથ ધર્યો હતો.