પાદરા.તા.૧૫ 

પાદરામાં આરોગ્ય વિભાગે છેલ્લા ૨૪ કલાક દરમ્યાન પાદરાના જુદા જુદા વિસ્તારમાં ૬ લોકોના કોરોના રીપોર્ટ પોજીટીવ આવતા પાદરામાં કોરોનાના પોઝિટિવની સંખ્યા ૨૨૭ પર પહોચી છે. બે મુજપુર ગામના ઝગડિયા વિસ્તરમાં રહેતા સંગીતાબેન .કે. પરમાર તેમજ પ્રવીણસિંહના કુવા પાસે રહેતા ભુપેન્દ્રસિંહ ગણપતસિંહ પરમાર જાહેર કરવામાં આવ્યા હતા. જે બંને કોરોનાના દર્દીઓ કોરોનાને મ્હાત આપતા તેઓને ડીસ્ચાર્જ કરતા તેવો ઘરે આવી ગયેલ છે. પરંતુ આરોગ્ય વિભાગ ધ્વારા તેઓના નામ આજે જાહેર કરવામાં આવ્યા હતા. રાહતની વાત એ છે કે દર્દીઓને ડીસ્ચાર્જ પણ કરવામાં આવેલ છે. છેલ્લા ૨૪ કલાકમાં ૧ મહિલા સહીત ૨ વ્યક્તિના મોત પણ થયા છે .

પાદરામાં સતત વધી રહેલા કોરોનાના દર્દીઓને પગલે લોકડાઉન પુનઃ એકવાર પાદરામાં જરૂર જણાઈ રહી છે.