અરવલ્લી,તા.૨ 

તાજેતરમાં રાજ્ય સરકાર ધ્વારા સમગ્ર રાજ્યના અધ્યાપકોના કેરિયર એડવાન્સમેન્ટ સ્કીમ અંતર્ગત બંધારણીય હક્ક જેવા પ્રમોશનના લાભો અટકાવવા બાબતે પરિપત્ર કરેલ છે, જેનો હે. ઉ ગુ વિશ્વ વિધ્યાલય શૈક્ષિક સંઘ દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે આ બાબતે સંઘના મહામંત્રી પ્રો ડો જગદીશ પ્રજાપતિ, ઉપપ્રમુખ પ્રિ. રોહિતભાઈ દેસાઈ ડો. એ. કે. પટેલ, ડો. ભાનુભાઈ પટેલ, ડા. કે. કે. પટેલ એ જણાવ્યું હતું કે ગુજરાત શૈક્ષિક સંઘ ઉચ્ચ શિક્ષણની જુદી જુદી યુનિ.ના પ્રમુખ મહામંત્રીની આૅનલાઇન બેઠક મળી હતી. જેમાં કેરિયર એડવાન્સમેન્ટ સ્કીમની જોગવાઇના લાભ ન આપવા માટે સરકારે જે પરિપત્ર કર્યો છે તે વ્યવહારુ નથી તેનો વિરોધ કરી સરકારને રજૂઆત કરવા નિર્ણય કરેલ. સમગ્ર રાજ્યના અધ્યાપકો માટે આ અન્યાયકારી એવી જોગવાઈઓ દુર કરીને સત્વરે અધ્યાપકોને ન્યાય આપવામાં આવે એવુ આવેદનપત્ર હે ઉ ગુ યુનિ. ના કુલપતિ પ્રો ડો જે જે વોરા મારફતે સરકારને મોકલવામાં આવ્યુ હતું.રાજ્યની યુનિવર્સીટીઓ અને કોલેજોના અધ્યાપકોને અધ્યાપકોના કેરિયર એડવાન્સમેન્ટ સ્કીમ અંતર્ગત તબક્કાવાર પ્રમોશનના લાંબો મળતા હોય છે. પરંતુ શિક્ષણ વિભાગના જણાવ્યા મુજબ કેન્દ્ર સરકાર તરફથી રાજ્ય સરકારને ગ્રાન્ટ ફાળવવામાં આવી નહિ હોવાથી તા. ૦૧/૦૧/૨૦૧૬ પછી અધ્યાપકોને કેરિયર એડવાન્સમેન્ટ સ્કીમ અંતર્ગત અપાતા લાભો મંજુર કરવાના રહેશે નહિ.