ગાંધીનગર-

રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો માહોલ જામી ગયો છે. ભાજપ કાૅંગ્રેસ દ્વારા મૂરતિયાઓ શોધવાની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. આ સ્થિતિમાં કાૅંગ્રેસમાંથી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કાૅંગ્રેસના મૂરતિયા બનવા અમદાવાદ શહેરમાં ૨૦૦૦ ફોર્મ આવ્યા છે. કાૅંગ્રેસ આ વખતે કાૅંગ્રેસે એક રણનીતિ બનાવી છે. કાૅંગ્રેસે આ વર્ષે ઉમેદવારી ફોર્મ નોંધાવતા પહેલાં 'બાહેંધરી' આપવી પડશે. આ ઉમેદવારોએ 'હું ચૂંટણી જીત્યા બાદ પક્ષ નહીં છોડું' કાૅંગ્રેસ પક્ષ પલટુંઓથી પરેશાન છે. માટે આ વર્ષે કાૅંગ્રેસ સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે બાંહેધરી માંગશે, આ બાંહેધરી આપનારા નેતાઓને જ કાૅંગ્રેસની ટિકિટ આપવામાં આવશે. કાૅંગ્રેસની આ બાંહેધરી ફોમ્ર્યૂલા અંતર્ગત ઉમેદવાર કરવા માંગતા મૂરતિયાએ બે નેતાની બાંહેધરી લઈ આપવી પડશે કે તે કાૅંગ્રેસમાંથી ચૂંટણી લડે અને પછી જીતે તો પક્ષ છોડીને પક્ષ પલટો નહીં કરે.

તાજેતરમાંજ યોજાયેલી ગુજરાત વિધાનસભાની પેટાચૂંટણી હોય કે અગાઉની સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ પક્ષ પલટો ગુજરાત કાૅંગ્રેસ માટે પરેશાની બની ગયો હોવાથી આ વર્ષે કાૅંગ્રેસ નવી રણનીતિ સાથે મેદાનમાં ઉતરી રહ્યું છે. અમદાવાદમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં મહાનગરપાલિકાનો જંગ લડવા માટે પક્ષને કુલ ૨,૦૦૦ ફોર્મ મળ્યા છે. આ ચૂંટણીની પ્રક્રિયામાં કાૅંગ્રેસના ૨,૦૦૦ ઉમેદવારી ફોર્મમાંથી ૧૪,૦૦૦ ફોર્મ શોર્ટઆઉટ કરવામાં આવ્યા છે જેના આધારે ચૂંટણી લડવા માંગતા ઉમેદવારનો ટિકિટ આપવામાં આવશે. રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા મહાનગરપાલિકા ૮૧ નગરપાલિકા ૩૧ જિલ્લા પંચાયત અને ૨૩૧ તાલુકા પંચાયતની ચૂંટણી જાહેર કરી દેવામાં આવી છે.

ચૂંટણીની તારીખોની વાત કરવામાં આવે તો મહાનગરપાલિકાની ચુંટણી માટે એક ફેબ્રુઆરી ૨૦૨૧ ના રોજ જાહેરનામું બહાર પાડવામાં આવશે ત્યારે ઉમેદવારી ભરવા ની છેલ્લી તારીખ ૬ ફેબ્રુઆરી ૨૦૨૧ રહેશે તો ઉમેદવારો ના ઉમેદવારીપત્ર ચકાસવાની તારીખ ૮ ફેબ્રુઆરી અને ઉમેદવારી પત્ર પરત ખેંચવાની તારીખ ૯ ફેબ્રુઆરી રહેશે જ્યારે ૨૧ ફેબ્રુઆરીએ મતદાન યોજાશે અને જાે જરૂર જણાશે તો મતદાન માટે ૨૨ ફેબ્રુઆરી તારીખ નક્કી કરવામાં આવી છે તમારા મહાનગરપાલિકાની મતગણતરી ૨૩ ફેબ્રુઆરીએ જ યોજાઈ જશે.