અંબાજી : ગુજરાત ભારતીય જનતા પાર્ટીના નવનિયુક્ત પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલે જવાબદારી સંભાળ્યા પછી ઝોનવાઈઝ ગુજરાતનો પ્રવાસ કરી રહ્યા છે. સૌરાષ્ટ બાદ હવે ઉત્તર ગુજરાતના સાત સરહદી વિસ્તાર સહિતના જિલ્લાઓનો પ્રવાસ આગામી ત્રણ સપ્ટેમ્બરથી શરૂ કરવાના છે. સી. આર. પાટીલ ઉત્તર ગુજરાતનો પ્રવાસ શક્તિપીઠ અંબાજી ખાતેથી મા અંબાના દર્શન કરી શરૂ કરવાના છે. જેના આયોજનને લઈ પ્રદેશ ભાજપ મહામંત્રી કે. સી. પટેલ તેમજ પ્રદેશ ઉપાધ્યક્ષ શંકરભાઇ ચૌધરી સોમવારે અંબાજીની સ્થળ ચકાસણી તેમજ આયોજન અર્થે આવી પહોંચ્યા હતા. જ્યાં સી. આર. પાટીલના માતાજીના દર્શનથી લઇ સભા સ્થળ સુધીના સ્થળોની મુલાકાત કરી પાટીલનો પ્રવાસ સફળ બને તેવા આયોજન હાથ ધર્યા છે.બનાસકાંઠા જિલ્લા ભાજપના તેમજ સ્થાનિક ભાજપના પદાધિકારીઓ સાથે પણ મિટિંગ યોજી કાર્યક્રમને સફળ બનાવવા જણાવ્યું હતું. જોકે પાટીલ ઉત્તર ગુજરાતના પ્રવાસની શરૂઆત અંબાજીથી કરી રહ્યા છે ત્યારે બનાસકાંઠા જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા પાટીલની રક્તતુલાનું આયોજન પણ કરાયું છે.ઉત્તર ગુજરાતના પ્રસિદ્ધ ઢોલના ધબકારે સીઆર પાટીલના સ્વાગતની તૈયારીઓ હાથ ધરાઈ હોવાનું પ્રદેશ મહામંત્રી કે. સી. પટેલે જણાવ્યું હતું પાટણ ખાતે પણ સી.આર. પાટીલને સૅનેટાઇઝર તેમજ માસ્કથી તોલવામાં આવશે. જેમાં સૅનેટાઇઝર દેવસ્થાનોમાં તેમજ માસ્ક સફાઈ કામદારોને આપવામાં આવશે.
મોસ્ટ પોપ્યુલર
ક્વિક લિંક
- અજબ ગજબ
- એસ્ટ્રોલોજી
- બૉલીવુડ
- બજેટ ૨૦૨૧-૨૨
- બિઝનેસ
- સિનેમા
- ક્રાઈમ વોચ
- ધર્મ જ્યોતિષ
- શિક્ષણ
- ફેશન એન્ડ બ્યુટી
- ફૂડ એન્ડ રેસિપી
- હેલ્થ એન્ડ ફિટનેસ
- હોલીવુડ
- આંતરરાષ્ટ્રીય
- જ્યોતિષ
- લાઈફ સ્ટાઇલ
- રાષ્ટ્રીય
- રાજકીય
- ધર્મ
- સ્પેશીયલ સ્ટોરી
- રમત ગમત
- ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧
- ટેક્નોલોજી
- ટેલિવુડ
- ટોક્યો ઓલિમ્પિક્સ
- ટ્રાવેલ
- વાસ્તુ
- વેબ સિરીઝ
Comments