અમદાવાદ-

ગુજરાત સહિત દેશમાં કોરોના કેસમાં કેટલાક અંશે ઘટાડો થયા બાદ લોકો બિન્દાસ બની રહ્યા છે. પરંતુ આ બેદરકારી ગુજરાતમાં કોરોનાના કેસમાં ફરી ઉછાળો લાવી શકે છે. આપણે એ ન ભૂલવું જોઈએ કે કોરોના હજી આપણી વચ્ચેથી ગયો નથી. નિષ્ણાતોનું માનવું છે કે મહારાષ્ટ્ર, કેરલા સહિતના રાજ્યોમાં ફરી એક વખત કોરોનાના કેસમાં વધારો થયો છે. વિશ્વના કેટલાક દેશોમાં વાઇરસનું સ્વરુપ બદલાતા મુશ્કેલીમાં વધારો પણ થયો છે. જો કે આ બાબતે રિસર્ચ ચાલુ છે. બીજી તરફ ગુજરાતમાં ચૂંટણીના કારણે પ્રચાર દરમિયાન લોકોના ટોળા તેમજ મેળાવડાને કારણે પણ કોરોનાનું સંક્રમણ વધી શકે છે.