વલસાડ, તા.૧૧
કલવાડા ગામનું ડુંગરિયા પહાડ ફળિયા- પીઠા પાટિયા નજીક આવેલું છે ત્યાં રહેતા વલસાડ ડેપોના કંડકટર મુકેશભાઈ છગનભાઈ પટેલના ખેતરમાંના ૪૨ ફૂટ ઊંડા કૂવામાં રાષ્ટ્રીય પક્ષી મોર કોઈ કારણોસર પડી જતા બહાર નીકળી શકતો ન હતો.
ઊંડો કૂવો હોઇ મોરને બચાવવા માટે વલસાડ નગરપાલિકાના કર્મી જાણીતા જીવદયા પ્રેમી મહેશભાઈ ચૌહાણને બોલાવતા તા.૧૦મીએ ધસી આવી યુવાનોના સહકારથી કૂવામાં ઉતરીને ધોતી કપડાથી મોરને પકડીને સહી-સલામત બહાર કાઢ્યો હતો જેમાં મહેશભાઈને સારી એવી મહેનત કરવી પડી હતી. બહાર કઢાયેલા મોરને દેશી સારવાર કરી થોડીવાર આરામ કરાવ્યો કેમકે તે ઘેનવાઈ ગયો હતો અને ઉડી શકતો ન હતો. ત્રણેક કલાક બાદ રાહત થતા મોરને ગગનવિહારી બનાવાયો હતો. જે માટે મુકેશભાઈએ મહેશભાઈ ચૌહાણનો નિસ્વાર્થ સેવા માટે ખાસ આભાર માન્યો હતો.
સંબંધિત સમાચાર
મોસ્ટ પોપ્યુલર
ક્વિક લિંક
- અજબ ગજબ
- એસ્ટ્રોલોજી
- બૉલીવુડ
- બજેટ ૨૦૨૧-૨૨
- બિઝનેસ
- સિનેમા
- ક્રાઈમ વોચ
- ધર્મ જ્યોતિષ
- શિક્ષણ
- ફેશન એન્ડ બ્યુટી
- ફૂડ એન્ડ રેસિપી
- હેલ્થ એન્ડ ફિટનેસ
- હોલીવુડ
- આંતરરાષ્ટ્રીય
- જ્યોતિષ
- લાઈફ સ્ટાઇલ
- રાષ્ટ્રીય
- રાજકીય
- ધર્મ
- સ્પેશીયલ સ્ટોરી
- રમત ગમત
- ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧
- ટેક્નોલોજી
- ટેલિવુડ
- ટોક્યો ઓલિમ્પિક્સ
- ટ્રાવેલ
- વાસ્તુ
- વેબ સિરીઝ
Comments