શ્રીનગર-

જમ્મુ કાશ્મીરના શોપિયા જિલ્લામાં સુરક્ષાદળ અને આતંકીઓ વચ્ચે અથડામણ થઈ હતી જેમાં એક આતંકીને ઠાર કરવામાં આવ્યો છે, જ્યારે બે જવાન ઈજાગ્રસ્ત થયા છે. આ પહેલા બારામુલામાં સુરક્ષાદળોએ જૈશના બે આતંકીઓને ઠાર કર્યા હતા.

પોલીસના એક અધિકારીએ જણાવ્યું કે સુરક્ષાદળોએ દક્ષિણ કાશ્મીરના શોપિયામાં કનિગામ વિસ્તારમાં આતંકીઓ હાજર હોવાની મળેલી ગુપ્ત સૂચના પર તપાસ અભિયાન શરૂ કર્યું હતું. તેમણે કહ્યું જ્યારે સુરક્ષાદળોના જવાન તપાસ અભિયાન કરી રહ્યા હતા, ત્યારે આતંકવાદીઓએ તેમના પર ગોળીઓ ચલાવી હતી. અધિકારીએ જણાવ્યું કે ત્યારબાદ અથડામણ શરૂ થઈ હતી.

અધિકારીએ કહ્યું જવાબી કાર્યવાહીમાં એક આતંકવાદીને ઠાર કરવામાં આવ્યો છે. તેમણે કહ્યું ઠાર કરવામાં આવેલા આતંકીની ઓળખ સાથે એ પણ તપાસ કરવામાં આવી રહી છે કે તે ક્યા સમૂહ સાથે જાેડાયેલો છે. અધિકારીએ જણાવ્યું કે ગોળીબારમાં બે સૈનિકા ઈજાગ્રસ્ત થયા છે અને તેની સારવાર ચાલી રહી છે.