અમદાવાદ-

અમદાવાદમાં શુક્રવારે સવારે મહિલા અને પ્રેમીની લાશ મળી આવતા ચકચાર મચી હતી. મેઘાણીનગર પોલીસે આ કેસમાં આગળ તપાસ હાથ ધરી છે. 

પ્રારંભિક માહિતી અનુસાર, લગ્ન પછી પણ પ્રેમી દ્વારા પરિણીતાનો પીછો ન છોડીને તેને સતત ત્રાસ આપવામાં આવતાં તેણે આપઘાત કરી લીધો હોવાનું જણાયું હતું. આ બાબતે ત્યારબાદ પરિણીતાના પતિ દ્વારા ફરિયાદ પણ નોંધાવાઈ હતી. જો કે, પરિણીતાએ આપઘાત કરી લેતા પ્રેમીએ પણ આપઘાત કરી લીધો હતો. પરિણીતાના પતિએ મૃતક પ્રેમી સામે ફરિયાદ નોંધાવી હતી. પરિણીતાએ પ્રેમીના ત્રાસથી કંટાળી પરિણીતાએ કર્યો આપઘાત કર્યો હોવાનું જાણવા મળ્યું હતું.

પરિણીતાના પતિને આ પ્રેમ પ્રકરણની જાણ થઈ ગઈ હતી અને તેથી તેણે મેઘાણીનગર પોલીસ સ્ટેશનમાં ફરીયાદ પણ નોંધાવી હતી. પરિણીતા અને પ્રેમી બંનેએ આજે આપઘાત કરી લેતાં મેઘાણીનગર પોલીસે બંનેની લાશને પીએમ માટે મોકલી આપી હતી અને મૃતક પ્રેમી સામે આપઘાતની દુષ્પ્રેરણાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.