રાજકોટ-

રાજકોટ શહેરના જાણીતા અને અનુભવી વકિલ અતુલ સંઘવીનું ફેસબુક લાઈવ દરમિયાન હાર્ટ એટેકના કારણે મૃત્યુ થતાં વકિલ જગત અને સગા-સંબંધીઓમાં શોકનું મોજું ફરી વળ્યું છે. મળતી માહિતી અનુસાર, આ ઘટના ગુરુવાર રાતની છે. રાજકોટના અતુલ સંઘવી રોજના નિત્યક્રમ મુજબ સોશિયલ મીડિયા પર લાઈવ થઈને ગીત-સંગીતમાં મગ્ન હતા ત્યારે જ તેમને હાર્ટઅટક આવ્યો હતો, જેના કારણે તેમનું લાઈવ દરમિયાન જ મોત નીપજ્યું હતું. મળતી માહિતી મુજબ અતુલભાઈ 61 વર્ષની વયે નિધન થયું છે. તેઓ દરરોજ સોશિયલ મીડિયા પર લાઇવ થઈને ઓલ્ડ સોંગ્સ સાંભળી આનંદ માણતા હતા. આ દરમિયાન ગુરુવારે રાતે પણ તેઓ નિત્યક્રમ મુજબ સોશિયલ મીડિયા પર લાઈવ થઈને સોંગ્સ સાંભળતા હતા ત્યારે અચાનક તેમને હાર્ટઅટેક આવતા તેઓ તરફડિયાં મારવા માંડ્યા અને અંતે તેમણે દુનિયાને અલવિદા કહી દીધું. જો કે, આ દરમિયાન લાઈવ નિહાળી રહેલા લોકો પણ 'અતુલભાઈ શું થયું?' સહિતની કોમેન્ટ્સ કરી રહ્યા હતા.