માંડવી માંડવી તાલુકાનાં રેગામા રઘીપુરા ગામ ખાતે રહેતા ઇન્દુબેન રાજેશભાઇ ચૌધરી (ઉં.વ. ૪૦) નો થોડા દિવસ અગાઉ ગામમાં કોઈ સાથે ઝગડો થયો હતો તેનાં સંદર્ભે તેમને સાંજે પંચાયતમાં બોલાવતા તેમને તે વાતનું ખોટું લાગી આવ્યું હતું. જેથી ખેતરમાં છાંટવાની ઝેરી દવા પી જતા તે જમીન પર ઢળી પડ્યા હતા. તેમનો પુત્ર ઘરે આવી તેમને પૂછતા પોતે ઝેરી દવા પી હોવાનું જણાવતા તાત્કાલિક સારવાર અર્થે ૧૦૮ મારફતે તેમને માંડવી સરકારી હોસ્પિટલ ખાતે લઈ જવાયા હતા. પરંતુ ફરજ પરનાં તબીબે તેમને મૃત જાહેર કરતા આ વાતની જાણ માંડવી પોલીસને કરાય હતી. માંડવી પોલીસ દ્વારા આગળની તપાસ હાથ ધરાય હતી.