અમદાવાદ-

ગુજરાતીમાં એક કહેવત છે લોભી હોય ત્યાં ધુતારા ભૂખે ન મરે આવું જ મોટાભાગે છેતરપિંડીના કિસ્સામાં બનતું હોય છે. ફ્રી અને મફતની લાલચ એવી જાગે છે આપણને કે સાચા ખોટાનું ભાન ભૂલીને ધુતારા કહે તેમ કરી લઈએ છીએ અને પાછળથી પસ્તાવાનો વારો આવે છે. આવી છેતરપિંડીનો ભોગ ભણેલા ગણેલા પણ બનાતા હોય છે. આવા જ એક કિસ્સામાં અમદાવાદના થલતેજમાં રહેતી મહિલાને એક રૂપિયાનું ટ્રાન્જેક્શન કરવાનું કહી રૂ.૯૫ હજાર પડાવી લીધા હોવાનો કિસ્સો સામે આવ્યો છે. શકુંતલા ચૌધરી નામની મહિલાએ અર્બન કંપનીના કાર્ડથી માથામાં મહેંદી મુકનારને ઘરે બોલવાવા ગૂગલ પરથી કસ્ટમરકેરમાં ફોન કર્યો. જેમાં સામેના વ્યક્તિએ એક રૂપિયાનું ઓનલાઈન ટ્રાન્જેક્શન કરાવ્યા બાદ અચાનક મહિલાના એકાઉન્ટમાંથી રૂ.૯૫ હજાર ઉપાડીને મહિલા સાથે ઠગાઈ કરી હતી. આ મામલે મહિલાએ સોલા હાઈકોર્ટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથધરી છે. આ અંગે પ્રાપ્ત વિગતો અનુસાર થલતેજના સુપ્રભાત એપાર્ટમેન્ટમાં રહેતા શકુંતલા ચૌધરી દેવ ઈન્ફોર્મેશન ટેકનોલોજી નામની કંપનીમાં ઓટોમેશન એન્જિનિયર તરીકે નોકરી કરે છે. રવિવારના રોજ શકુંતલાબહેન ઘરે હાજર હતા ત્યારે બે મહિના પહેલા ઈસ્કોન રિલાયન્સ મોલમાંથી લોરિયલ કંપનીની માથાની ડાઈ ખરીદી હતી. જેમાં અર્બન કંપનીનું કાર્ડ હતું. જે કાર્ડના આધારે કંપનીના માણસો ઘરે આવી ડાઈ કરી જાય છે, જેથી શકુંતલાબહેને કંપનીના કસ્ટમરકેર પર વાત કરવા ગૂગલ પરથી નંબર મેળવી ફોન કર્યો હતો. આ દરમિયાન સામા પક્ષેથી શકુંતલાબહેનને જણાવ્યું હતું કે, તમે કંપનીના નિયમ મુજબ એક વખત ખરીદી કરી શકો છો, હવે ખરીદી કરવી હોય તો છદ્ગરૂડ્ઢઈજીદ્ભ નામની એપ્લિકેશન ડાઉનલોડ કરવી પડશે. જેથી શકુંતલાબહેને તે એપ્લિકેશન ડાઉનલોડ કરી બાદમાં તે વ્યક્તિએ ફોન કરી જણાવ્યું હતું કે, તમારે ફોન પેથી રૂ.૧નું ટ્રાન્જેક્શન કરવું પડશે અને તેમ કહીને ટ્રાન્જેક્શન માટે આઈડી આપી હતી. ત્યારબાદ શકુંતલાબહેને રૂ.૧નું ટ્રાન્જેક્શન કર્યું હતું. પરંતુ ટ્રાન્જેક્શન થયું ન હતું. જેથી ફોન પર તેમને જણાવ્યું હતું કે, ડેબિટકાર્ડ નંબર તથા તેની એક્સપાયરી ડેટ તથા પિન નંબર નાંખો એટલે એક રૂપિયાનું ટ્રાન્જેક્શન થશે. જેથી શકુંતલાબહેને તે જ પ્રમાણે કર્યું તેમછતાં ટ્રાન્જેક્શન ન થતાં તેમણે જે નંબર પરથી ફોન આવ્યો હતો, તે નંબર પર ફરી ફોન કરી જાણ કરતા સામે રહેલા શખ્સે બે મોબાઈલ નંબર આપ્યા હતા. જે મેસેજ આ નંબર પર ફોરવર્ડ કરી દેજાે તેમ જણાવ્યું હતું.