અંબાજી,તા.૨૩ 

અંબાજી મંદિરમાં વર્ષો જૂની પ્રણાલિકા મુજબ અને સુર્યોદય અને સુર્યાસ્તના સમયમાં ફેરફાર થવાથી શ્રદ્ધાળુઓની સગવડ અને સરળતાથી દર્શન થઈ શકે તે માટે અંબાજી મંદિરમાં અષાઢી બીજથી દર્શન અને આરતીના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે.હવે અંબાજી મંદિરમાં ત્રણ વખત થતી આરતી બે જ વખત કરવામાં આવશે બપોરે કરાતી આરતી બંધ કરવામાં આવી છે. દર્શન અને આરતીના સમયમાં પણ ફેરફાર થશે. સવારે મંદિર ૧૦.૪૫ કલાકે બંધ થતું હતું તેના બદલે હવે સમય ૧૧.૩૦ સુધી લંબાવાયો છે.માતાજીની સાતે દિવસની સવારનાં દર્શન જે માત્ર ૧૦.૪૫ સુધી થતાં હતા જેના બદલે હવે સાંજે ૪.૩૦ કલાક સુધી દર્શનનો લાભ મળશે. રાત્રી દરમ્યાન ૯ કલાક સુધી જે દર્શન થતા હતા તેના બદલે રાતના ૮.૧૫ સુધી જ થશે.