અમદાવાદ-

નડિયાદ નજીક નેશનલ હાઇવે નંબર-8 પર મોડી રાત્રીએ અકસ્માત સર્જાયો હતો. જેમાં એક જ પરિવારના 4 સભ્યો સહિત 5 લોકોના ઘટના સ્થળે મોત થયાં છે, જ્યારે અન્યા 5 લોકો ઇજાગ્રસ્ત થયા છે. જેથી તેમને સારવાર અર્થે નડિયાદ સિવિલ હોસ્પિટલમાં અને બાદમાં અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં છે.

ઘટનાની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે દોળી આવી હતી અને મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યા હતા. આ અકસ્માતમાં 5 લોકોના મોત ઘટનાસ્થળે જ થયા હતાં. જ્યારે અન્ય 3 લોકોની હાલત ગંભીર છે. આ અકસ્માત નડિયાદથી અમદાવાદ જઈ રહેલી બે કાર વચ્ચે જોરદાર ટક્કર થતાં અકસ્માત સર્જાયો હતો. અકસ્માત એટલો ભયંકર હતો કે 5 લોકોના મોત ઘટનાસ્થળે જ નીપજ્યા હતા જ્યારે અન્ય 3ની હાલત ગંભીર છે. જાણવા મળ્યાનુસાર મૃતકોમાં બે મહિલા, બે બાળકો અને એક પુરૂષનો સમાવેશ થાય છે.