રાજકોટ-

અકસ્માતની ઘટના ધોરાજીના તોરણયા પાટીયા પાસે બનવા પામી છે. જેમાં ST બસ અને કાર વચ્ચે અકસ્માત થયો હતો. અકસ્માત એટલો ગંભીર હતો કે, કારનો કચ્ચરઘાણ બોલી ગયો હતો. આ ઘટનામાં 5 લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા અને 2 લોકોના ઘટના સ્થળ પર જ મોત નિપજયા હતા. અકસ્માતની ઘટનાની જાણ થતા આસપાસના રાહદારીઓ ઘટના સ્થળે એકઠા થયા હતા અને STમાં રહેલા મુસાફરોને ઈમરજન્સી બારીમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. અકસ્માતની ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને પોલીસે સમગ્ર મામલે અકસ્માતનો ગુનો દાખલ કરી મૃતક યુવક અને યુવતીના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી આગળની કાર્યવાહી શરૂ કરી છે.

મળતી માહિતી મુજબ રાજકોટના ધોરાજીના તોરણીયા પાટીયા પાસે જુનાગઢ જામનગર રૂટની ST બસ ધોરાજી તરફ જઈ રહી હતી, તે સમયે તોરણીયા પાટીયા પાસે પાટણવાવ સરકારી હોસ્પિટલના ડૉક્ટર સુરેશ વડાલીયા તેમની કાર લઈને જઈ રહ્યા હતા. ડૉક્ટરે કારના સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવતા કાર એકાએક ST બસ સાથે અથડાઇ હતી. આ અકસ્માત એટલો ગંભીર હતો કે, કારનો કચ્ચરઘાણ બોલી ગયો હતો.