લખનઉ-
લખનઉ આગ્રા એક્સપ્રેસ વે પર થયેલા દુ:ખદ અકસ્માતમાં બિહારનાં 5 કામદારોનાં મોત નીપજ્યાં હતાં અને આ અકસ્માતમાં 30 થી વધુ લોકો ઘાયલ થયા હોવાનું સામે આવી રહ્યુ છે. તેમાંથી 18 લોકોને મેડિકલ કોલેજમાં દાખલ કરવામાં આવ્યા છે.
મળતી માહિતી મુજબ, એક ખાનગી ડબલ ડેકર બસ, જે પૂરી ભરેલી હતી, તે બિહારનાં દરભંગાનાં મસવાણીથી કામદારોને લઇને દિલ્હી જઇ રહી હતી. જે રસ્તામાં અકસ્માતનો શિકાર બની હતી. આપને જણાવી દઇએ કે લોકડાઉન દરમિયાનમાં જે કામદારો પોતાના ઘરે ગયેલા તેઓ ફરીથી મોટા શહેરોમાં પાછા ફર્યા છે. પ્રાપ્ત માહિતી અનુસાર, કન્નૌજનાં સૌરાષ્ટ્ર પોલીસ સ્ટેશન વિસ્તારનાં લખનઉ આગ્રા એક્સપ્રેસ-વે કટ નજીક સવારે પાંચ વાગ્યે એક બસ અને એસયુવી કાર વચ્ચે જોરદાર ટક્કર થઇ હતી , ત્યારબાદ બંને વાહનો ખાઇમાં પડી ગયા હતા. ઘટના સમયે અચાનક ટક્કર બાદ બસ પલટી ખાઈને ભયંકર અકસ્માતમાં 5 લોકોનાં ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા. જોકે આ અકસ્માતમાં ઘાયલ લોકોને નજીકના સારવાર કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યા હતા.
સંબંધિત સમાચાર
મોસ્ટ પોપ્યુલર
ક્વિક લિંક
- અજબ ગજબ
- એસ્ટ્રોલોજી
- બૉલીવુડ
- બજેટ ૨૦૨૧-૨૨
- બિઝનેસ
- સિનેમા
- ક્રાઈમ વોચ
- ધર્મ જ્યોતિષ
- શિક્ષણ
- ફેશન એન્ડ બ્યુટી
- ફૂડ એન્ડ રેસિપી
- હેલ્થ એન્ડ ફિટનેસ
- હોલીવુડ
- આંતરરાષ્ટ્રીય
- જ્યોતિષ
- લાઈફ સ્ટાઇલ
- રાષ્ટ્રીય
- રાજકીય
- ધર્મ
- સ્પેશીયલ સ્ટોરી
- રમત ગમત
- ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧
- ટેક્નોલોજી
- ટેલિવુડ
- ટોક્યો ઓલિમ્પિક્સ
- ટ્રાવેલ
- વાસ્તુ
- વેબ સિરીઝ
Comments