ડભોઇ, તા.૧૮ 

ડભોઇ થી કેવડીયા સુધી રેલ્વે બ્રોડગેજ લાઇનનું કામ સંપૂર્ણ થવાને આરે છે ત્યારે છેલ્લા કેટલાક સમય થી ડભોઇ સાઠોદ નજીક વેરાઈમાતા વસાહત ના ખેડૂતો જમીન ની કિમત બાબતે રેલ્વે અધીકારીઓ ને સંપાદિત કરવા દેવામાં આવતી ન હતી. હવે રેલ્વે તંત્ર દ્વારા આગામી ૩૧મી ઓક્ટોબર સુધી રેલ્વે લાઇન શરૂ કરવા નો ઉપરી અધીકારીઓ દ્વારા સૂચનો અપાયા છે. એક ખેડૂત દ્વારા સાઠોદ નજીક થી તે ખેડૂત ના ખેતરમાંથી પસાર થતી લાઇન બાબત વિરોધ હતો જે જમીન સંપાદન માટે આજ રોજ રેલ્વે અધીકારીઓ અને પોલીસ ના મોટા કાફલા સાથે સ્થળ ઉપર પહોચી કબજો મેળવ્યો હતો.આજ રોજ ખેડૂતો આનો વિરોધ ન કરે તે માટે જમીન સંપાદન કરવા પોલીસના કાફલા સાથે પહોચ્યા હતા અને જમીન નો કબજો લીધો હતો. આ પ્રસંગે નાયબ કલેક્ટર હિમાન્સુ પરીખ, મામલતદાર જે.એન.પટેલ, સહિત રેલ્વે અધીકારીઓ ઉપસ્થિત રહ્યા હતા