દિલ્હી-
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ૨૫ જૂને જ્યારે પોતાની પ્રેસિડેન્શિયલ ટ્રેનથી કાનપુર પહોંચશે તોઆ ક્ષણ ખુબ જ ખાસ હશે. કાનપુર રેલ્વે સ્ટેશનના ઈતિહાસના પાનામાં એક નવો અધ્યાય જાેડાઈ જશે. કેમ કે પહેલીવાર પ્રેસિડેન્શિયલ ટ્રેન અહીં પહોંચશે. આ ક્ષણ ખુબ જ મહત્વપુર્ણ એટલા માટે પણ છે કે ૧૮ વર્ષ બાદ રાષ્ટ્રપતિ પ્રેસિડેન્શિયલ ટ્રેનની યાત્રા પર નીકળશે.
રાષ્ટ્રપતિના કાર્યક્રમ દરમિયાન ૩ દિવસ સુધી સેન્ટ્રલ સ્ટેશન પર આ વિશેષ ટ્રેન ઉભી રહેશે. તેને જાેઈ શકવી સંભવ નથી, કેમ કે તેની સુરક્ષામાં રાષ્ટ્રપતિની સુરક્ષા ટીમ હાજર હશે. શહેરમાં આ વિશેષ ટ્રેનના પહેલીવારના આગમન પર લોકોમાં તેના વિશે જાણવાની ઉત્સુકતા જાેવા મળી રહી છે. બુલેટ પ્રૂફ વિન્ડો, પબ્લિક એડ્રેસ સિસ્ટમ, દરેક આધુનિક સુવિધાથી સજ્જ આ ટ્રેનનો ઈતિહાસ પણ અનોખો છે.
રાષ્ટ્રપતિ જે ટ્રેનથી સફર કરે છે, તેને પ્રેસિડેન્શિયલ સલૂન પણ કહે છે. આ ટ્રેનની શ્રેણીમાં આવતી નથી. જાે કે પાટા પર જ ચાલતી હોવાને કારણે તેને પ્રેસિડેન્શિયલ ટ્રેન પણ કહે છે. તેમાં બે કોચ હોય છે. જેનો નંબર ૯૦૦૦ તેમજ ૯૦૦૧ હોય છે. અત્યાર સુધી દેશના અલગ-અલગ રાષ્ટ્રપતિ ૮૭ વખત આ સલૂનનો ઉપયોગ કરી ચૂક્યા છે. ડો. રાજેન્દ્ર પ્રસાદ પહેલા રાષ્ટ્રપતિ હતા, જેઓએ વર્ષ ૧૯૫૦માં દિલ્હીથી કુરુક્ષેત્રની સફર પ્રેસિડેન્શિયલ સલૂનથી કરી હતી. ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણન અને ડો. નીલમ સંજીવા રેડ્ડીએ પણ આ સલૂનથી યાત્રા કરી હતી. ૧૯૬૦થી ૧૯૭૦ની વચ્ચે પ્રેસિડેન્શિયલ સલૂનનો ઉપયોગ નિયમિત રીતે થયો હતો. ૧૯૭૭માં ડો. નીલમ સંજીવા રેડ્ડીએ આ સલૂનથી યાત્રા કરી હતી. જે બાદ લગભગ ૨૬ વર્ષ બાદ ૩૦ મે ૨૦૦૩ના રોજ ડો. એપીજે અબ્દુલ કલામે આ સલૂનથી બિહારની યાત્રા કરી હતી.
સંબંધિત સમાચાર
મોસ્ટ પોપ્યુલર
ક્વિક લિંક
- અજબ ગજબ
- એસ્ટ્રોલોજી
- બૉલીવુડ
- બજેટ ૨૦૨૧-૨૨
- બિઝનેસ
- સિનેમા
- ક્રાઈમ વોચ
- ધર્મ જ્યોતિષ
- શિક્ષણ
- ફેશન એન્ડ બ્યુટી
- ફૂડ એન્ડ રેસિપી
- હેલ્થ એન્ડ ફિટનેસ
- હોલીવુડ
- આંતરરાષ્ટ્રીય
- જ્યોતિષ
- લાઈફ સ્ટાઇલ
- રાષ્ટ્રીય
- રાજકીય
- ધર્મ
- સ્પેશીયલ સ્ટોરી
- રમત ગમત
- ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧
- ટેક્નોલોજી
- ટેલિવુડ
- ટોક્યો ઓલિમ્પિક્સ
- ટ્રાવેલ
- વાસ્તુ
- વેબ સિરીઝ
Comments