ગાંધીનગર
ગુજરાતની એક માત્ર તમિલ માધ્યમની સ્કૂલ બંધ થઈ એ મુદ્દે મોદી સરકાર મૂંઝવણમાં છે. અમદાવાદની આ ખાનગી સ્કૂલ પૂરતા વિદ્યાર્થીઓ નહીં હોવાના કારણસર બંધ કરી દેવાઈ છે. ડીએમકેએ મોદીને પત્ર લખીને આ સ્કૂલ ચાલુ રહે એ જાેવા વિનંતી કરી છે. એ. રાજાએ મોદીને લખ્યું છે કે,
મોદી પોતાના પ્રવચનોમાં તમિલ કવિઓને વારંવાર ટાંકે છે ત્યારે તેમના વતનમાં તમિલ માધ્યમની સ્કૂલ બંધ થાય એ શરમજનક કહેવાય. મોદીએ પોતાની વગ વાપરીને એવું ના થવા દેવું જાેઈએ. બીજી તરફ તમિલનાડુના મુખ્યમંત્રી પલાનીસ્વામીએ પણ મોદીને પત્ર લખીને આ સ્કૂલનો ખર્ચ ઉઠાવવાની તૈયારી બતાવી છે.
રાજા અને પલાનીસ્વામી બંને એ ગુજરાત સરકારને પણ પત્ર લખ્યા છે. પલાનીસ્વામી ભાજપના સાથી છે તેથી તેમની સરકાર ખર્ચ ઉઠાવે તો ડીએમકે તમિલનાડુમાં આ મુદ્દાને ગજવીને મોદીને તમિલ વિરોધી ચિતરવામાં કોઈ કસર ના છોડે. મોદી ગુજરાત સરકારને આ સ્કૂલનો ખર્ચ ઉઠાવવા આદેશ આપે તો બીજી ભાષાની સ્કૂલો મદદ માટે લાઈન લગાવી દે તેથી મોદી સરકાર મૂંઝવણમાં છે
સંબંધિત સમાચાર
મોસ્ટ પોપ્યુલર
ક્વિક લિંક
- અજબ ગજબ
- એસ્ટ્રોલોજી
- બૉલીવુડ
- બજેટ ૨૦૨૧-૨૨
- બિઝનેસ
- સિનેમા
- ક્રાઈમ વોચ
- ધર્મ જ્યોતિષ
- શિક્ષણ
- ફેશન એન્ડ બ્યુટી
- ફૂડ એન્ડ રેસિપી
- હેલ્થ એન્ડ ફિટનેસ
- હોલીવુડ
- આંતરરાષ્ટ્રીય
- જ્યોતિષ
- લાઈફ સ્ટાઇલ
- રાષ્ટ્રીય
- રાજકીય
- ધર્મ
- સ્પેશીયલ સ્ટોરી
- રમત ગમત
- ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧
- ટેક્નોલોજી
- ટેલિવુડ
- ટોક્યો ઓલિમ્પિક્સ
- ટ્રાવેલ
- વાસ્તુ
- વેબ સિરીઝ
Comments