અમદાવાદ-

રાજ્યમાં એક તરફ જ્યાં વિકાસની રફ્તાર તેજ બની છે ત્યાં ઘણી વખત એવી ઘટનાઓ બનતી હોય છે જ્યાં વિકાસની પોલ છતી થઈ જતી હોય છે. અમદાવાદમાં પણ અનેક જગ્યાએ બાંધકામ સહિતના વિકાસના કામો ખુબ જ તેજીથી ચાલી રહ્યા છે. ત્યારે આજે શાહપુર દરવાજા પાસે 15 ફુટ જેટલો મસમોટો ભૂવો પડ્યો હોવાની ઘટના પ્રકાશમાં આવતા શહેરીજનો આશ્ચર્યમાં પડી ગયા છે.

પ્રાપ્ત અહેવાલ મુજબ, શહેરના શાહપુર દરવાજા પાસે ભરશિયાળે 15 ફુટ જેટલો મસમોટો ભૂવો પડ્યો હોવાના સમાચાર છે. આ ભૂવામાં રિક્ષા અને બે બાઇક ખાબક્યા છે. જો કે, સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી. જે સ્થળે ભુવો પડ્યો છે તે સ્થળે મેટ્રો રેલનું કામ ચાલી રહ્યું છે. મેટ્રો રેલની કામગીરીમાં બેદરકારીને લઇને સ્થાનિકોએ અનેક વખત તંત્રને રજૂઆતો કરી હોવા છતાં તંત્ર દ્વારા હજુ સુધી કોઇ નક્કર કાર્યવાહી કરવામાં ન આવતા લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.