અમદાવાદ-

સરકારી કર્મચારીઓએ સરકારી નોકરીને તો જાણે લાંચ માટેનું સાધન બનાવી દીધું હોય તેવુ લાગે છે. ત્યારે એક બાદ એક સરકારી કર્મચારીઓની અપ્રમાણ મિલકત અંગે ACB દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે. તેવામાં રાજુલાના નિવૃત્ત વર્ગ -૩ ના કર્મચારી પાસેથી આવક કરતા 97.71 ટકાની અપ્રમાણ મિલકત મળી આવી હતી. જે મામલે ACB એ ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે. અમરેલીના રાજુલામાં અધિક મદદનીશ ઇજનેર તરીકે કાળુભાઇ રામ નિવૃત્ત છે. જેમના વિરુદ્ધમાં ACBમાં અપ્રમાણસર મિલકત અંગેની અરજી મળી હતી. જે મામલે ACB એ તપાસ હાથ ધરી હતી ત્યારે જાણવા મળ્યું હતું કે કાળુભાઇની કુલ આવક 71,44,516 રૂપિયા છે જેની સામે તેમના કુલ ખર્ચ અને રોકાણ 1,38,78,291 રૂપિયાના છે. જે ગણતરી કરતા 97.71 ટકા મિલકત વધુ હતી. સરકારી કર્મચારીઓએ સરકારી નોકરીને તો જાણે લાંચ માટેનું સાધન બનાવી દીધું હોય તેવુ લાગે છે. ત્યારે એક બાદ એક સરકારી કર્મચારીઓની અપ્રમાણ મિલકત અંગે ACB દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે.