અમદાવાદ-

ગુજરાત રાજ્યમાં કોરોના કેસમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસથી દૈનિક કેસના આંકમાં મોટો ઘટાડો નોધાયો છે. જેને પગલે રાજ્યસરકાર દ્વારા એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. ગત માર્ચ મહિનાથી રાજ્યમાં વ્યાપેલા કોરોનાના સંક્રમણને કારણે ગુજરાત આરોગ્ય વિભાગે સિવીલ હોસ્પિટલમાં ગુજરાતની સૌથી મોટી 1200 બેડ ધરાવતી કોરોના હોસ્પિટલ કાર્યરત કરી હતી. 1200 બેડની સિવીલ હોસ્પિટલમાં અમદાવાદ સહિત રાજ્યના અનેક લોકોએ કોરોનાની સારવાર લીધી.

ત્યારે આજે અમદાવાદની આ હોસ્પિટલ આજ્થી નોન કોવીડ હોસ્પીટલમાં ફેરવવામાં આવી છે. મહિલા અને બાળ રોગના તમામ વિભાગ આજથી ચાલુ કરવામાં આવ્યા છે. આજથી સામાન્ય રોગની સારવાર માટે તમામ લોકો સિવિલ હોસ્પિટલ આવી શકશે.