અમદાવાદ-
અમદાવાદના બાપુનગરમાં વહેલી સવારે ભીષણ આગનો બનાવ બન્યો હતો. બાપુનગરમાં ઇન્ડિયા કોલોની રોડ નજીક શ્યામ શિખર ટાવર નીચેની દુકાનોમાં સવારે 7 વાગ્યે ભીષણ આગ ફાટી નીકળી હતી.આગ લાગ્યાની જાણ થતા જ ૧૩ થી વધુ ફાયર ફાયટર ની ગાડીઓ ઘટના સ્થળે પહોચી ગઈ હતી અને આગને કાબુમાં લીધી હતી. જણાવી દઈએ કે શ્યામ શિખર ટાવર નીચે મોબાઈલ ની ઢગલાબંધ દુકાનો છે. પૂર્વ વિસ્તારમાં મોબાઈલ નું હબ ગણાતા આ શ્યામ શિખર ટાવર નીચેની દુકાનોમાં ભીષણ આગના કારણે આસપાસના લોકોમાં દોડધામ મચી ગઈ હતી. વહેલી સવારે આગ લાગી હોવાથી દુકાનોમાં કોઈ હાજર નહોતી જેથી જાનહાની થઇ નથી પરંતુ એસી તેમજ દુકાનોના સાઈન બોર્ડને કારણે આગ વધુ ફેલાઈ હતી. ફાયર ઓફિસરના કહેવા મુજબ પણ હજુ આગનું કારણ નક્કી કરી શકાયું નથી. એફએલએલને ઘટના અંગે જણાવવામાં આવ્યું છે.દુકાનો એકબીજાને અડીઅડીને જ હોવાથી આગ બધી જ દુકાનોમાં ફેલાઈ ગઈ હતી.
સંબંધિત સમાચાર
મોસ્ટ પોપ્યુલર
ક્વિક લિંક
- અજબ ગજબ
- એસ્ટ્રોલોજી
- બૉલીવુડ
- બજેટ ૨૦૨૧-૨૨
- બિઝનેસ
- સિનેમા
- ક્રાઈમ વોચ
- ધર્મ જ્યોતિષ
- શિક્ષણ
- ફેશન એન્ડ બ્યુટી
- ફૂડ એન્ડ રેસિપી
- હેલ્થ એન્ડ ફિટનેસ
- હોલીવુડ
- આંતરરાષ્ટ્રીય
- જ્યોતિષ
- લાઈફ સ્ટાઇલ
- રાષ્ટ્રીય
- રાજકીય
- ધર્મ
- સ્પેશીયલ સ્ટોરી
- રમત ગમત
- ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧
- ટેક્નોલોજી
- ટેલિવુડ
- ટોક્યો ઓલિમ્પિક્સ
- ટ્રાવેલ
- વાસ્તુ
- વેબ સિરીઝ
Comments