અમદાવાદ,

અમદાવાદમાં જયારે અનલોક ૧નો અમલ થઇ રહ્યો છે ત્યારે ગત રાત્રે શહેરનાં ખાનપુર વિસ્તારમાં આવેલા ભરડીયાવાસ નજીક પથ્થરમારો કરવામાં આવ્યો હતો. વાહન પુરપાટ ઝડપે ચલાવવા જેવી નજીવી બાબતે બોલાચાલી થઈ હતી. આ બોલાચાલી ઉગ્ર બનતા સામસામે પથ્થરમારો કરવામાં આવ્યો હતો.

જેમાં એક વ્યકિત ઈજા પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. ઘટનાની જાણ થતા પોલીસ કાફલો અને ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને બન્ને પક્ષને સમજાવીને મામલો થાળે પાડી વધુ કાર્યવાહી હાથ ધરી છે.